________________
કરણનો કાળ પૂરો થાય છે. એ કાળ પૂરો થતાંની સાથે જ, પહેલા જે સમયે, સમ્યક્ત્વ મોહનીય નામના પ્રશસ્ત કર્મના વેદન રૂપ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. ઓપથમિક સભ્યત્વને પામેલાની ભાવી સ્થિતિના સંબંધમાં પણ અભિપ્રાયભેદ :
કાર્મગ્રબ્લેિક અભિપ્રાય એવો છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્યારે સમ્યક્ત્વને પામે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મગ્રન્થિને ભેધા પછીથી, એ જીવ અનિવૃત્તિ કરણ દ્વારા અન્તર કરણને પેદા કરે છે, કે જે અન્તર કરણ, ઔપથમિક સમ્યકત્વના પરિણામ રૂપ છે. પથમિક સમ્યકત્વના પરિણામ રૂપ એ અન્તર કરણના પણ અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં, એ જીવ, મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તે દળિયાના, હમણાં જ આપણે વિચારી આવ્યા તે રીતિએ, ત્રણ પંજ કરે છે. પથમિક સભ્યત્વના કાળમાં, એ રીતિએ, એ જીવ ત્રણ પુંજ કરી લે છે; ત્યાર બાદ, એ ત્રણ પુંજોમાંથી જો એ જીવને સમ્યકત્વ મોહનીય રૂપી શુદ્ધ પુંજનો ઉદય થાય છે, તો એ જીવ ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે; પરન્તુ, એ ત્રણ પુંજોમાંથી જો એ જીવને મિશ્ર મોહનીય રૂપી શુદ્વાશુદ્ધ પંજનો ઉદય થાય છે, તો એ જીવ મિશ્ર ગુણસ્થાનકને પામે છે; અને, એ ત્રણ પંજોમાંથી એ જીવને જો મિથ્યાત્વ મોહનીય રૂપી અશુદ્ધ પુજનો ઉદય થાય છે, તો એ જીવ પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે. આમ, “અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલાં પથમિક સમ્યકત્વને જ પામે અને ઓપશમિક સમ્યકત્વના કાળમાં એ જીવ ત્રણ પુંજ કરે જ તથા ત્રણ પંજ કરીને એ કાં તો ક્ષાયોપથમિક સમ્યકત્વને પામે, કાં તો મિશ્ર સમ્યકત્વને પામે અને કાં તો પુનઃ મિથ્યાદ્રષ્ટિ બને.” –એવો કાર્મગ્રન્થિક અભિપ્રાય છે; જ્યારે સેદ્રાન્તિક અભિપ્રાય એવો છે કે- “અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલાં પથમિક સમ્યકત્વને જ પામે, એવો નિયમ નહિ; એ જીવ ઔપથમિક સમ્યકત્વને પામ્યા. વિના જ ક્ષાયોપથમિક સમ્યકત્વને પામે એવું પણ બને. પણ જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઔપશમિક સમ્યકત્વને પામે, તે જીવ પોતાના ઓપશમિક સમ્યકત્વના કાળ રૂપી અત્તર કરણના કાળસુધી. સમ્યકત્વના આસ્વાદને પામીને, અત્તે તો એ પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે. એટલે કે. એ જીવ ઓપશમિક સમ્યકત્વના કાળમાં ત્રણ પુંજ કર જ નહિ.” જે ઉમળકો શ્રી જિનશાસનની આરાધનાની વાતમાં આવે, તે સંસારના સુખની વાતમાં આવે નહિ ?
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જો પોતાના સમ્યગ્દર્શન રૂપી ગુણને પ્રગટાવનારો બને, તો તે કયા ક્રમે પ્રગટાવનારો બને, એનો તમને કાંઇક ખ્યાલ આવે, એ માટે આ વાતનો આટલો વિસ્તાર કરવામાં આવ્યો. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બન્નેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યક્ત્વ છે. સમ્યત્વે સહિત બનીને જો ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તો જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે; અને એવું ધર્મારાધન જ, એ આરાધક જીવને, પોતાના વાસ્તવિક ફળને આપનારૂં નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાનોએ, સમ્યક્ત્વના પ્રકટીકરણનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ્લો
Page 77 of 197