________________
છોડવા લાયકને છોડ્યું હોય અને આચરવા લાયકને આચરવા માંડ્યું હોય, તેમાં પણ એ જીવ વારંવાર એ જ દ્રષ્ટિ રાખ્યા કરે કે- “મારા આ વલણના યોગે, મને એવી અનુકૂળતા આવી મળો, કે જે અનુકૂળતા આવી મળતાં, હું છોડવા લાયક સર્વને સર્વથા છોડનારો અને આચરવા લાયક સર્વને એકાન્ત આચરનારો બની જાઉં !” ર્મગ્રન્થિને ભેદવાની બાબતમાં અને અપૂર્વ રણની બાબતમાં ત્રણ વાતોનો નિર્ણયઃ
ધર્મશ્રવણ જો એવા પ્રકારનું હોય, તો એથી પરિણામની ઉત્તરોત્તર શુદ્ધિ થયા કરે એ સુસંભવિત જ છે; અને, આવા પ્રકારના ધર્મશ્રવણના યોગે જીવ અપૂર્વ કરણને પણ પામી જાય, એયા ખૂબ જ સંભવિત છે. તમારું ધર્મશ્રવણ આવા પ્રકારનું છે કે નહિ, એનો તમારે વિચાર કરવો જોઇએ. જો તમારે તમારી ભાગ્યશાલિતાને સફળ કરવી હોય, તો તમારે આ વિચાર અવશ્ય કરવો જોઇએ. હવે આપણે અપૂર્વકરણ સંબંધી વિચાર કરીએ. આપણે જોઇ આવ્યા કે-શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પણ જીવના પોતાના પરુષાર્થની અપેક્ષા રાખે છે અને શદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામેલો જીવ પોતાના. પુરુષાર્થના બળે જ અપૂર્વકરણને પ્રગટાવી શકે છે. તમારી કર્મગ્રન્થિ ભૂદાઇ ન હોય, તો પણ એ કર્મગ્રન્થિને ભેટવાની તમારી ઇચ્છા તો ખરી ને ? જેમને પોતાની કર્મગ્રન્થિને ભેદવાની ઇચ્છા હોય, તેમને પોતાના અપૂર્વકરણને પ્રગટાવવાની ઇચ્છા પણ હોય જ ને ? ત્યારે, એ વિચાર કરીએ કે-જીવની કર્મગ્રન્થિને ભેદી નાખે એવો અ અપર્વકરણ, સ્વરૂપે કેવો હોય ? કર્મગ્રન્થિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રન્થિને ભેદનારો જે અપૂર્વકરણ નામનો અધ્યવસાયા હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે; એટલે, પરિણામ દ્વારા જ પરિણામને ભેદવાની વાત છે. કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામ તો આત્મામાં રહેલો જ છે. અનાદિકાલથી એનું અસ્તિત્વ છે. હવે એ અનાદિકાલથી અસ્તિત્વને પામેલા પરિણામને જીવે ભેદવાનો છે. ત્યારે, એ માટે જીવે શું કરવું જોઇએ ? પોતાના પુરુષાર્થથી જીવે પોતામાં જ એવા પરિણામને પેદા કરવો જોઇએ, કે જે પરિણામ, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે પરિણામના સ્વરૂપથી તદન વિપરીત કોટિના સ્વરૂપવાળો હોય; એટલું જ નહિ, પણ કર્મગ્રન્થિ રૂપી જે પરિણામ, તે પરિણામની જે તીવ્રતા, તે તીવ્રતાથી પણ અધિક તીવ્રતાવાળો, એ કર્મગ્રન્થિ રૂપી પરિણામથી વિપરીત કોટિનો પરિણામ હોવો જોઇએ.
આમ આપણે ત્રણ વાતો નક્કી કરી. તેમાં, પહેલો વાત એ કે-કર્મગ્રન્થિ રૂપી આત્માના એક પ્રકારના પરિણામને, આત્માના જ અન્ય પ્રકારના પરિણામ વડે ભેદવાનો છે. હીરાને કાપવો હોય, તો એ માટે હીરાકણી જોઇએ ને ? તેમ, આત્માના પરિણામનો ભેદ પણ, આત્માના પરિણામ વિના થઇ શકતો નથી.
બીજી વાત આપણે એ નક્કી કરી કે-આત્માના જ પરિણામથી કર્મગ્રન્થિ રૂપી પરિણામને ભેદવાનો છે, તે પરિણામ કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામથી તદ્દન વિપરીત પ્રકારનો હોવો જોઇએ.
અને, ત્રીજી વાત આપણે એ નક્કી કરી કે-કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામ જેટલો તીવ્ર હોય, તેના કરતાં પણ એ આત્મપરિમામને ભેદનારો જે પરિણામ, તે વધારે તીવ્ર હોવો જોઇએ; અને તો જ, એ પરિણામથી ગ્રન્થિભેદ થાય.
Page 65 of 197