________________
આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના યોગ વિના જીવના સર્વ યોગસાધક વંચક નીવડ્યા. છે, પણ શ્રી સદ્ગુરુનો યોગ થતાં તે સર્વ યોગ અવંચક થઇ પડે છે. આવો અદ્ભુત મહિમા આ યોગાવંચક યોગનો છે. આ સપુરુષના સ્વરૂપદર્શનરૂપ આ યોગાવંચક નામની યોગસંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક્ર ચાલુ થઇ જાય છે. જેમ હાથો વતાં આખું ચક્ર ચાલવા માંડે છે. તેથી, આ યોગાવંચક રૂપ હાથો વતાં આખું યોગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચડી-પાટા પર ચઢી સાચી દિશામાં સડડાટ પ્રયાણ કરે છે. સપુરુષ સદગુરુનો તથા દર્શનરૂપ યોગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમધન એવો અમૃત રસ પ્રાપ્ત થાય છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે
“સત છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (૬) છે; કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઇ છે, તેણે પોતે કંઇ જ જાણતો નથી, એવો દ્રઢ નિશ્ચયવાળો. પ્રથમ વિચાર કરવો, અને પછી “સંત” ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.”
“જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઇ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું છે, એમ અમને તો દ્રઢ રીતે લાગે છે.
જ્ઞાની પુરુષનું ઓળખાણ નહિં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ :(૧) એક તો હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) બીજું, પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજું, લોકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિતા થવું જોઇએ તેવું ન થવું.”
આમ સંક્ષેપમાં યોગાવંચકનું સ્વરૂપ કહ્યું. હવે ક્રિયાવંચકનું સ્વરૂપ લક્ષણ વિચારીએ. સંત આશ્રય પર ખાર ભાર
આમ સંતચરણના આશ્રય વિના સમસ્ત સાધન-ક્રિયાદિ પરમાર્થે નિળ ગયા છે, વંચક બન્યા છે, ઠગનારા બન્યા છે. ભાવયોગી એવા સાચા સંપુરુષનો-ભાવસાધુનો આશ્રય કરવામાં આવે તો જ અવંચક યોગ, અવંચક ક્રિયા ને અવંચક ફ્લ થાય. એટલા માટે જ અને મહાત્મા શાસ્ત્રકારે “સાધુને આશ્રીને-સંતનો આશ્રય કરીને એ શબ્દો પર ખાસ ભાર મૂક્યો છે. વંચક કેમ થયા ?
કારણ કે આ અવંચક ત્રિપુટીની પ્રાપ્તિ થયા પૂર્વેના જીવને જે જે યોગ થયા છે, જીવે જે જે ક્રિયા આચરી છે, જીવને જે જે ફ્લ મળ્યા છે, તે બધાય ઉપર બતાવ્યા પ્રમાણે વંચક-છેતરનારા થયા. છે; મૂળ આત્મલક્ષ્યથી સૂકાવનારા હોઇ લક્ષ્ય વિનાના બાણ જેવા થયા છે ! કારણ કે જીવને કદાચ સપુરુષ-સંગુરુનો સમાગમ-ચોગ થયો હશે, પણ તેને તે સ્વરૂપે નહિ ઓળખવાથી, તે વંચક થયો
Page 35 of 197.