________________
જીવતો હોય અને આયુષ્યનો બંધ પડે તો પણ સદ્ગતિનું આયુષ્ય બંધાય. આથી આલોક અને પરલોક બન્નેમાં સુખ મલવાનું એનો સંતોષ જીવનમાં હોય છે એવા આનંદથી જીવન જીવવું એ પ્રમોદ ભાવનાનું ત્રીજું લક્ષણ કહેલ છે. આવા અધ્યવસાય વાળા જીવોને અનુબંધ પેદા થાય તો શુભા કર્મોનો અનુબંધ સારી રીતે પેદા થતો જાય છે અને એ શુભ કર્મોના અનુબંધના કારણે આ જીવોને ભગવાનની વાણી સાંભળવા મળે તો સહજ રીતે સાચા સુખની ઇચ્છા પેદા થયા વગર રહેતી નથી અને એ સાચા સુખની રૂચિ તીવ્ર બન્યા વગર રહેતી નથી અને આથી એ સાચા સુખનો આંશિક આનંદ પણ વધતો જાય છે. એ આનંદ કેવો ? કે અત્યાર સુધી સંસારમાં અનુકૂળ પદાર્થોને ભોગવતાં એ સખની અનુભૂતિ કરતાં જેવો આનંદ પેદા થાય તેના કરતાં કેઇ ઘણો આનંદ એટલે સુખની અનુભૂતિ જીવને પેદા થતી જાય છે. માટે આ જીવોને અનુકૂળ પદાર્થોમાં સહજ રીતે દુ:ખની અનુભૂતિ વધતી જાય છે એ અનુકૂળ પદાર્થો સુખરૂપ લાગતા નથી પણ તેના પ્રત્યે નત ભાવ અને કંટાળો વધતો જાય છે. જ્યારે જ્યારે એ અનુકૂળ પદાર્થો માટેની ક્રિયા કરવાનો વખત આવેત્યારે એને સૂગ તથા વિશેષ રીતે કંટાળો આવે કે ક્યારે આ કાર્ય જલ્દી પૂર્ણ કરી દઉં અને સાચા સુખા માટેની ક્રિયા કરતો થાઉં. આ વિચારણા રહ્યા જ કરે છે. આ પ્રમોદ ભાવનાનું ત્રીજું લક્ષણ કહેવાય છે. આ વિચારણા ક્ષયોપશમ ભાવ આત્મામાં પેદા થાય-મિથ્યાત્વની મંદતા થાય એનાથી થાય છે. આ શુભ કર્મોના અનુબંધથી ઉત્તરોત્તર આત્માની વિશુધ્ધિ વધતી જાય છે અને એનાથી વિશુદ્ધિની સ્થિરતા પેદા થાય છે અને ઉત્તરોત્તર વિશુધ્ધિથી સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી શકે છે. આ ત્રીજું લક્ષણ કહેવાય છે. (૪) પરામુદિતા ભાવ:
મોહનીય કર્માદિ મહાતીવ્ર કર્મના નાશથી પ્રાપ્ત થતાં અવ્યાબાધ સુખમાં જે સંતોષ વૃત્તિ થવી
તે.
આ રીતે પ્રમોદ ભાવનાના ત્રણ લક્ષણના પરિણામોની વિચારણામાં સ્થિરતા પેદા થતી જાય તેમ મિથ્યાત્વ મોહનીય કર્મનો તીવ્ર રસ મંદ પડતો જાય અને જેમ એની મંદતા થતી જાય તેમ મોક્ષના સુખની આંશિક અનુભૂતિ થતી જાય છે. એ અનુભૂતિના સુખના કારણે અંતરમાં સાચા સુખની અનુભૂતિ થઇ એવા ભાવનો પૂર્ણ સંતોષ પેદા થતો જાય છે. આ ચોથા લક્ષણના અધ્યવસાયથી જીવને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા થાય છે. આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના પરિણામને જ્ઞાનીઓએ આંશિક વીતરાગ દશાનો અનુભવ થાય છે એમ કહેલું છે.
ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં-દેવ ગુરૂની ભક્તિ-સેવા કરતાં કરતાં આવા સુખની અનુભૂતિ થાય છે એવું કાંઇ લાગે છે ખરૂં ? આ અનુભૂતિથી સુખી જીવોનાં સુખની સામગ્રી જોઇને દ્વેષ ભાવ પેદા થતો હતો તે નષ્ટ થઇ જાય છે. એ દ્વેષ બુધ્ધિના કારણે ઇર્ષ્યા ભાવ પેદા થતો હતો તે નષ્ટ થાય છે તો હવે એવા જીવોને જોઇને શું થાય છે ? જેટલા અનુકૂળ પદાર્થોવાળા વધારે સુખી જોવામાં આવે તેમ તે જીવો અજ્ઞાન લાગે અને એમની અંતરથી દયા આવે. એ અનુકૂળ પદાર્થોને મેળવવાની મહેનત કરનારા-વધારવાની મહેનત કરનારા-સાચવવાની મહેનત કરનારા-ટકાવવાની મહેનત કરનારા અને એ સામગ્રી ન ચાલી જાય એની સતત કાળજી રાખનારા અને મરતી વખતે મૂકીને-રોઇને મરનારા જીવો પ્રત્યે અજ્ઞાનને પરવશ રહેલા જીવો છે એવા વિચારથી દયાનો
Page 23 of 197