________________
છે, જ્યારે ક્ષાયિક સમ્યકત્વ તો આત્માનો જાણે પરમ મિત્ર ન હોય તેમ તેનાથી એક ક્ષણને માટે પણ કવચિત્ જુદું રહેતું નથી, પરંતુ મુક્તાવસ્થામાં પણ તે તેની સાથેજ જાય છે. ઓપશમિક સમ્યકત્વો તો અહીંઆ પાછળ રહી જાય છે અર્થાત મુક્તાવસ્થામાં તેને સારૂ સ્થાન નથી.
પથમિક સમ્યકત્વથી ક્ષાયિક સમ્યકત્વ કેવી રીતે ચડીયાતું છે, તેનો બોધ થવામાં ઉપશમ' અને “ક્ષય' એ બેમાં શું ભિન્નતા છે, તે જાણવું જરૂર હોવાથી તે વિચારવામાં આવે છે. ઉપશમ અને ક્ષયમાં તફાવત : ' ઉપશમ અને ક્ષયમાં શું ક છે એ સ્પષ્ટ સમજાય તેટલા માટે તેનો ઉદાહરણપૂર્વક વિચાર કરવો ઇષ્ટ છે. ધારો કે-આપણી પાસે એક મલિન જળનું પાત્ર છે. થોડા સમય પછી આ તમામ મેલા જળના તળીએ બેસી જશે અને ત્યાર પછી આ જળ નિર્મળ દેખાશે. પરંતુ આ નિર્મળતા ક્યાં સુધી રહેવાની ? જ્યાં સુધી જળ આ સ્થિતિમાં રહે ત્યાં સુધી જ, કેમકે-જરા પણ આ જળની સ્થિતિમાં ખલેલ પહોંચતાં એ મેલના રજકણો પાછા સર્વત્ર પ્રસરી જવાના અને જે જળ નિર્મળ દેખાતું હતું તે પાછું અસ્વચ્છ માલુમ પડશે. પરંતુ જો આ જળમાંથી તેની અસ્વચ્છતાનો સર્વથા નાશ કરવામાંઆવે, તો પછી આ જળ આઘાત, પ્રત્યાઘાત કે એવી કોઇ પણ ક્રિયાથી કદી પણ અસ્વચ્છ ન જ બને; તેવી જ રીતે પ્રસ્તુતમાં મોહનીયના સંબંધમાં આ વાત ઘટાવવામાં આવે છે. મોહનીયકર્મના રજકણો આત્માના પ્રદેશમાં જ્યારે સ્થિર થઇ જાય છે, ત્યારે તે પ્રદેશો સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલાં જળની નીચે બેસી ગયેલા રજકણો જળને કિંચિત માત્ર ક્રિયાની અસર થતાં અલ્પ સમયમાં તમામ જળમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહનીય કર્મના રજકણો કારણ મળતાં સમસ્ત આત્મપ્રદેશોમાં પ્રસરી જાય છે, અર્થાત તે અમક કાળ વિત્યા બાદ જરૂરજ પાછા ઉદયમાં આવે છે. પરંતુ જો મોહનો સર્વથા ક્ષય કરવામાં આવ્યો હોય, આ મોહનીયકર્મોના રજકણોને આત્મપ્રદેશમાંથી હંમેશને માટે કાઢવામાં આવ્યા હોય, તો તેનો કદી પણ પાછો ઉદય ન થાય. આ ઉપરથી એમ સમજી શકાય છે કે-જેનો ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યાર બાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂરજ ઉદયમાં આવે છે, જ્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હોવાને લીધે તેનો કદાપિ પણ ઉદય થવાનો અલ્પાંશે પણ સંભવ નથી. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિભાવ :
જે લાગણીઓ બીજી લાગણીના બળે દબાયેલી રહે, બીજી લાગણી વિધમાન હોય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપશમ છે. જેમ કે-અગ્નિ કે દીવાદિકનો પ્રકાશ. અગ્નિ ઉપર રાખ નાખવાથી કે દીવા ઉપર બીજી કોઇ વાસણ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેનો પ્રકાશ કે ગરમી દબાયેલી રહે છે પણ તેનો નાશ થતો નથી, તેમ અમુક પ્રકારના ઉત્તમ પરિણામના બળે કેટલીક કર્મની પ્રકૃતિઓ તે વખતે ઉદયમાં આવી પોતાનો પ્રભાવ જીવને બતાવી નથી શકતી, તે “ઉપશમભાવ' છે. મોહનીયકર્મની. પ્રકૃતિનો જ ઉપશમભાવ થાય છે, તેથી ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર પ્રગટે છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બંનેને વિશુદ્ધ પરિણામે દબાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતો હોય અને તેમાં આસક્ત હોય, ત્યારે પોતાની સારી કે ખરાબ આદતોને થોડા વખતને માટે ભૂલી જાય છે, તેમ સારા વિચારો કે સારા સહવાસના કારણે જીવ આ બંને પ્રકતિઓને દબાવી શકે છે : પણ તેનો ક્ષય થયો ન હોવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે
Page 146 of 197