________________
તેની વિરોધી પ્રવૃત્તિ કે વિરોધી નિમિત્તો આવી મળતાં, પછી પ્રકૃતિઓ સત્તામાંથી બહાર આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. આ ઉપશમભાવથી “ઉપશમ સમ્યક્ત્વ” પ્રગટે છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન, વિભંગઅજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ક્ષાયોપથમિક ભાવના, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, ક્ષાયોપથમિક ભાવનાનું સમ્યકત્વ, સરાગ ચારિત્ર અને દેશવિરતિ-આ અઢાર પ્રકૃતિઓ ક્ષયોપશમભાવની છે. આમાં ઉદય આવેલા કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદય આવેલી પ્રકૃતિઓને ઉપશમાવવામાં આવે છે, માટે તેને “ક્ષયોપશમભાવ' કહે છે. આ ક્ષયોપશમભાવથી ‘ક્ષયોપશમ સમ્યકત્વ પ્રગટે છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે તત્ત્વશ્રદ્ધાનાત્મક રૂચિ ઉત્પન્ન થાય છે અને તે રૂચિ વડે જીવાદિ તત્ત્વશ્રદ્ધાનાત્મક વિશિષ્ટ કૃત થાય છે.
સાતે પ્રકૃતિઓના ક્ષયથી જે ભાવ પ્રગટે તે “ક્ષાયનિભાવ' છે, તેથી ક્ષાયિક સમ્યકત્વ પ્રગટે
ઉદયાદિનું સ્વરૂપ
જે કર્મ આપણે બાંધ્યું હોય, તે કર્મનું ળ ભોગવવું તે “ઉદય' કહેવાય છે, અર્થાત્ તે કર્મ ઉદયમાં આવ્યું છે એમ સમજવું.
“ક્ષયોપશમ' શબ્દ ક્ષય અને ઉપશમ એ બેનો બનેલો છે. આ હકીકત ક્ષયોપશમ અવસ્થા દરમિયાન ઉદયમાં આવેલાં કર્મનો ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલા કર્મનો ઉપશમ થાય છે એ ઉપરથી ચરિતાર્થ થાય છે. આ ઉદયમાં આવેલા કર્મનો ઘાત કરવાપૂર્વક અનુદિત કર્મનો સર્વથા. વિષ્કન્મ તે ઉપશમ છે. આ ઉપરથી સાર એ નીકળે છે કે-ક્ષયોપશમમાં પ્રદેશ-ઉદય રહેલો છે,
જ્યારે આ ઉદયનો પણ ઉપશમમાં અભાવ છે. આ કારણને લઇને પણ ઓપશમિક સમ્યક્ત્વ ક્ષાયોપથમિક કરતાં ઉંચી કોટિનું ગણી શકાય છે.
“ઉદય’ અને ક્ષય તો આઠે કર્મોનો થાય છે, પરંતુ “ક્ષયોપસમ' તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-એ ચાર ઘાતિકર્મનો જ હોઇ શકે છે અને તેમાં “ઉપશમ' તો મોહનીયકર્મનો જ હોઇ શકે છે.
મિથ્યાત્વમોહનીયાદિના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી ઉત્પન્ન થયેલા પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યકત્વ-એ ત્રણના સંબંધમાં કેટલીક વિશેષતાનું અવલોકન કરવું જરૂરી છે. આ વર્તમાનકાળમાં (પંચમ આરામાં) ક્યા ક્યા સખ્યત્વનો સંભવ છે ?
આ વર્તમાન પંચમકાળમાં પથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ત્રણે સમ્યકત્વનો સંભવ છે, પરંતુ ઉત્પત્તિ તો પૂર્વના બેનીજ છે; કેમકે-શાસ્ત્રમાં ક્ષાયિક સમ્યક્ત્વની ઉત્પત્તિ તો ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના સમકાલીન મનુષ્યોને બતાવવામાં આવી છે.
અત્રે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કેપૂર્વભવમાં પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમ્યકત્વથી અલંકૃત દુષ્મહસૂરિ મહાત્મા આ પંચમ આરાના અંતમાં દેવગતિમાંથી ચ્યવીને આ પૃથ્વી ઉપર જન્મ
Page 147 of 197