________________
અપૂર્વકરણના સંબંધમાં તો તે કરણમાં પ્રવેશ કરતાની સાથે જ અર્થાત તે કરણના પ્રથમ સમયમાંજ જીવ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ અને અન્ય (અપૂર્વ) સ્થિતિબંધનો સમકાલે પ્રારંભ કરે છે. અનિવૃત્તિકરણ :
અપૂર્વકરણ પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તમાં તેનાથી અધિક અંશે શુદ્ધ એવો અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રાપ્ત થાય છે. આ અધિક શુદ્ધતાને લઇને તો અપૂર્વકરણથી અનિવૃત્તિકરણને ભિન્ન ગણવામાં આવે છે. કહેવાની મતલબ એ છે કે-યથાપ્રવૃત્તિકરણ રૂપ આત્માના અધ્યવસાય કરતાં અપૂર્વકરણ વિશેષ શુદ્ધ છે અને તેનાથી પણ અનિવૃત્તિકરણ અધિકાંશે શુદ્ધ છે. આ “શુદ્ધતા” શું છે તેના સંબંધમાં અને એટલું જ કહેવું બસ છે કે-યથાપ્રવૃત્તિકરણથી જીવ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેના કષાયોનો અનુભાગ મંદ થતો જાય છે અને તેમ થવાથી ઉત્તમોત્તમ કાર્ય કરવા તરફ તે વધારે અને વધારે પ્રોત્સાહિત બને છે. અનિવૃત્તિકરણ એ ત્રીજું અર્થાત્ અંતિમકરણ છે અને જેવું આ કરણનું નામ છે તેવું જ તેનું કામ છે. અનિવૃત્તિકરણનો સાધારણ અર્થ તો એ છે કે“કાર્ય કર્યા વિના નહિ પાછા વળનારૂં સાધન.” પ્રસ્તુતમાં તેનો અર્થ એવો જ થાય છે અને તે બીજો કોઇ નહિ પણ એજ કે- “સમ્યકત્વ' ને પ્રાપ્ત કરાવ્યા વિના નહિ રહેનારો આત્માનો અધ્યવસાય. આ અનિવૃત્તિકરણના પ્રાબલ્યથી “અંતરકરણ' બને છે. આ અંતરકરણ” એટલે શું તે હવે વિચારવામાં આવે છે. અત્તરક્રણ :
આત્મા અનિવૃત્તિના સામર્થ્યને લઇને અર્થાત આ વિશુદ્ધ પરિણામની મદદથી મિથ્યાત્વમોહનીય કર્મનાં દ્રવ્યો કે જે બહુ લાંબા કાળની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એવી એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળા હતાં તેના બે વિભાગ પાડે છે. આ પ્રમાણે અતિ દીર્ધકાળની સ્થિતિ ધરાવનારાં મિથ્યાત્વમોહનીય કર્મના પંજમાંનો કેટલોક ભાગ અન્તર્મુહૂર્ત સુધીમાં ભોગવાઇ જાય-વેદાઇ જાય-ખપી જાય એવો બને છે, જ્યારે બાકીનો જ્ઞાનાવરણીય આદિ કર્મોનો મોટો ભાગ અતિ દીર્ધસ્થિતિવાળો અથતિ પૂર્વોક્ત પલ્યોપમનાં અસંખ્યય ભાગે ન્યૂન એવી. કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળો કાયમ રહે છે. આ પ્રમાણે મિથ્યાત્વમોહનીય કર્મના દ્રવ્યોનું બે વિભાગોમાં વિભક્ત થવું -બે વિભાગોમાં વિભક્ત થયેલ કર્મદ્રવ્યોની સ્થિતિમાં અંતર પડવું, તે “અન્તર કરણ' કહેવાય છે. અન્તરWણમાં પ્રવેશ:
અનિવૃત્તિકરણરૂપ અધ્યવસાયમાં પ્રવર્તતો આત્મા આ ઉપયુક્ત અન્તર્મુહૂર્તવદ્યા મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યોને વેદી નાંખે છે-અનુભવી નાંખે છે-તેનો ક્ષય કરે છે, જ્યારે બાકીનાં અતિ દીર્ધસ્થિતિવાળાં મિથ્યાત્વમોહનીય કર્મદ્રવ્યના મોટા વિભાગોને ભસ્મચ્છન્નાગ્નિવત (જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે છે તેમ) ઉદયમા ન આવે-અન્તર્મુહૂર્ત સુધી તો ભોગવવા ન જ પડે એવી રીતે દબાવી મૂકે છે. પેલાં અન્તર્મુહૂર્તવધ કર્મદ્રવ્યો જ્યારે તમામ વેદી લેવાય છે કે તે જ ક્ષણે-તેજ સમયમાં અન્તરકરણમાં પ્રવેશ થાય છે : અર્થાત તે ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો જરા પણ
Page 139 of 197