________________
નથી. આથી આ જીવો ઉપશમ-ક્ષયોપશમ કે ક્ષાયિક ત્રણેય સમ્યક્ત્વમાંથી કોઇપણ સમ્યક્ત્વ સાથે હોય છે તેથી છોડવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ સતત રહ્યા જ કરે છે. એ બુધ્ધિને ટકાવવા માટે અને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે સારામાં સારી રીતે શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરતાં હોય છે. સુ સાધુ ભગવંતોની સેવા-ભક્તિ કરતાં હોય છે. તત્વનું જ્ઞાન મેળવતા હોય છે તથા સાધર્મિક ભક્તિ પણ સારી રીતે કરતાં હોય છે. આ કર્તવ્યો આ જીવોને માટે તરવાના સાધનો કહેલા છે.
સમ્યક્ત્વ કહો કે સમ્યગ્દર્શન કહો તે બંને એકજ છે. યથાર્થ શ્રદ્વાન યાને વાસ્તવિક તત્ત્વદ્રષ્ટિ એ એનો અર્થ છે. એ વાતની વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મુનીશ્વરકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્રનું “તત્વાર્થશ્રદ્ધાનું સમ્પર્શન” એ સૂત્ર સાક્ષી પૂરે છે. વિશેષમાં સમ્યક્ત્વની વ્યાખ્યા કરતાં પૂજ્ય શ્રી હેમચન્દ્ર સૂરિ મ. કહે છે કે
“થા દેવે તેવતાવુદ્ધિ-ર્યુરો ૫ ગુરુતામતિઃ । ધર્મ પ ધર્મઘી: શુદ્ધા, સમ્યમિવમુ—તે ।।”
અર્થાત્ ઃ
‘દેવને વિષે દેવપણાની શુધ્ધિ બુદ્ધિ, ગુરૂમાં ગુરૂપણાની શુદ્ધ બુદ્ધિ અને ધર્મમાં નિર્મળ બુદ્ધિ એ ‘સમ્યક્ત્વ’ કહેવાય છે.’
આ ઉપરથી સાર એ નીકળે છે કે-જેમને દેવ-ઇશ્વર-પરમેશ્વર તરીકે માનવા વ્યાજબી હોય તેમને દેવ તરીકે સ્વીકારવા, જેમને ગુરૂ એવી સંજ્ઞા આપવી યથાર્થ હોય તેમને ગુરૂ તરીકે માનવા અને જે વાસ્તવિક રીતે ધર્મ એવા નામને લાયક હોય તેને ધર્મ માનવો એ ‘સમ્યક્ત્વ’ છે. આનાથી ઉલટી માન્યતા તે ‘મિથ્યાત્વ’ છે.
સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ ‘તત્ત્વાર્થશ્રદ્ધાન.’ તે જ્યારે સમ્યક્ત્વ હોય ત્યારેજ કહેલ સ્વરૂપવાળું શ્રદ્વાન પ્રગટે છે અને તેથી તે શ્રદ્વાન સમ્યક્ત્વ વિના સંભવતું નથી. એવા પ્રકારની વ્યાપ્તિ એટલે શ્રદ્ધાનવાળા જીવોને અવશ્ય સમ્યક્ત્વ હોય છે. એ નિયમ જણાવવા માટે શ્રદ્વાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તો પણ તેને વિષે સમ્યક્ત્વરૂપ કારણનો ઉપચાર કરીને શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહેવામાં આવે છે. પ્રશસ્ત આત્મપરિણતિરૂપ સમ્યક્ત્વ પણ તત્ત્વને પ્રતિપાદન કરનાર શાસ્ત્રના જ્ઞાન દ્વારા પ્રગટ થાય છે. કહ્યું છે કે- “નીવાડ઼ નવ પયત્વે, નો નાળફ તસ હોડ઼ સન્માં ।” જ્યારે તત્ત્વજ્ઞાનથી સમ્યક્ત્વ પ્રગટે છે, તો પછી “માવેન સ ંતો શયાળમાળે વિ સમ્મત્ત” -આ વચનથી તત્ત્વજ્ઞાન ન હોય, તો પણ જે ભાવથી શ્રી વીતરાગ પ્રભુએ કહેલ પદાર્થસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા રાખે તેજીવ સમ્યદ્રષ્ટિ કહેવાય. એ વાત કેવી રીતે સંભવે ? આ સંબંધમાં મહાપુરૂષોનું સમાધાન છે કે- ‘ઊયાળમાળે વિ' ઇત્યાદિ વચન જ્ઞાનના અભાવને કહેનાર નથી, પરંતુ વિસ્તારપૂર્વક તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન (અલ્પજ્ઞાન) અર્થને જણાવનાર છે એટલે જે જીવ વિસ્તારથી તત્ત્વોને જાણતો નથી, તો પણ જો ઉત્કૃષ્ટ ભાવથી શ્રી વીતરાગપ્રણીત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા રાખે, તો તે સમ્યદ્રષ્ટિ કહેવાય છે. પદાર્થનું યથાર્થસ્વરૂપ તે તત્ત્વ કહેવાય છે. વળી આપણને સર્વજ્ઞે કહેલા ધર્મ ઉપર તેમજ સર્વજ્ઞે કહેલી દરેક વાત ઉપર દ્રઢ રાગ અને વિશ્વાસ છે, એમ આપણું મન ખાત્રી આપતું હોય અને આસ્તિય, અનુકંપા ઇત્યાદિ સમ્યક્ત્વના ૬૭ લક્ષણોમાંના લક્ષણો વર્તતા હોય, તો વ્યવહારથી એમ માની શકીએ કે-આપણને વ્યવહાર
Page 131 of 197