SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત પ્રાપ્ત કરો. આ ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા જીવો મનુષ્યગતિમાં રહેલા જીવો આઠ વરસની ઉપરની ઉમંરવાળા હોય. પહેલા સંઘયણવાળા હોય અને કેવલીભગવંતનો કાળ હોયતો ક્ષયોપશમ સમકીતના કાળમાં ક્ષાયિક સમ્યકત્વ પામવા માટે પુરૂષાર્થ કરે છે. ઉપશમ સમીકીતના કાળમાં કોઇપણ જીવો ક્ષાયિક સમકીત પામવાનો પુરૂષાર્થ કરી શકતા જ નથી. આત્માની વિશુધ્ધિમાં ચઢેલો જીવ સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયના પગલો દરેક આત્મપ્રદેશો ઉપર જે રહેલા હોય છે તે દરેક આત્મપ્રદેશો ઉપરથી ખેંચી ખેંચીને સંપૂર્ણ નાશ કરે છે. આ રીતે એક અંતમુહૂર્તમાં જ્યારે ચારે કષાયનો સંપૂર્ણ ક્ષય થાય એટલે જીવ અનંત ગુણ વિશધ્ધિવાળો બને છે અને પુરૂષાર્થ કરીને દરેક આત્મપ્રદેશો ઉપર રહેલા મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલોનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એક અંતર્મુહૂર્તમાં જ્યારે એ પુદ્ગલો સંપૂર્ણ નાશ પામે એટલે જીવ મોહનીય કર્મની ત્રેવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય છે. આ વેવીશની સત્તા. મનુષ્ય ગતિમાં જ જીવને હોય છે. બીજી કોઇ ગતિમાં હોતી નથી. ત્યાર બાદ મિશ્રમોહનીયના પુદગલોનો સંપૂર્ણ નાશ કરે છે ત્યારે મોહનીય કર્મની બાવીશ પ્રકૃતિઓની સત્તાવાળો બને છે. અને ત્યાર બાદ સમ્યકત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવી લાવીને જ્યારે સંપૂર્ણ ક્ષય કરે ત્યારે જીવા મોહનીય કર્મની એકવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય છે ત્યારે ક્ષાયિક સમીત પામ્યો એમ કહેવાય છે. આ રીત જે સાત પ્રકૃતિઓનો ક્ષય કરાય છે એ સાત પ્રકૃતિઓને દર્શન સપ્તકની પ્રકૃતિઓ કહેવાય છે. જે જીવો અનંતાનબંધિ ચાર કષાયનો ક્ષય કરે છે ત્યારે તે જીવો મોહનીયની ચોવીશા પ્રકૃતિઓની સત્તાવાળા થાય છે. આ ચોવીશ પ્રકૃતિઓની સત્તા ચારે ગતિમાં સન્ની પર્યાપ્ત જીવો પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક જીવો ચોવીશની સત્તા પ્રાપ્ત કર્યા પહેલા ચારે ગતિમાંથી કોઇપણ ગતિનું આયુષ્ય બાંધેલું હોય તો તે જીવો મરીને ચારે ગતિમાંથી કોઇપણ ગતિમાં ઉત્પન્ન થઇ શકે છે. આ ચોવીશની સત્તા જીવને છાસઠ સાગરોપમ કાળ સુધી ક્ષયોપશમ સમકીતના કાળમાં ટકે છે અને ત્યાંથી ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પણ ચોવીશની સત્તા સાથે પ્રાપ્ત કરીને એક અંતર્મુહૂર્તમાં ફ્રીથી ક્ષયોપશમ સમકીત પામી છાસઠ સાગરોપમ કાળ સુધી ક્ષયોપશમ સમકીત રાખી શકે છે. આ રીતે ઉત્કૃષ્ટથી ચોવીશની સત્તા જીવને એકસો બનીશ સાગરોપમ મનુષ્ય ભવ અધિક કાળ સુધી રહી શકે છે અને પછી ફ્રીથી મિથ્યાત્વ ગુસ્થાનકને પામીને અનંતાનુબંધી ચાર કષાયનો બંધ કરી શકે છે. આવા જીવોને જ્યારે અનંતાનુબંધિ કષાયનો બંધ ક્ષય કરીને ફ્રીથી શરૂ થયેલ છે ત્યારે મિથ્યાત્વની હાજરીમાં એક આવલિકા કાળ સુધી અનંતાનુબંધિ કષાયનો ઉદય હોતો નથી એમ કહેવાય છે પછી અવશ્ય ઉદય થાય છે. ફ્રોથી મિથ્યાત્વે જઇને અનંતાનુબંધિ કષાયનો બંધ કરે ત્યારે તે જીવોને અનંતાનુબંધિ કષાયની વિસંયોજના રૂપે કહેવાય છે. હવે જે જીવો અનંતાનુબંધિ ચાર કષાય-મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ છ પ્રકૃતિઓનો ક્ષય કરીને બાવીશની સત્તાવાળા થાય છે. તે બાવીશની સત્તાવાળાનું આયુષ્ય પૂર્ણ થાય તો મરીને ચારે ગતિમાં જઇ શકે છે. તે આ રીતે. જે જીવોએ પહેલા ગુણસ્થાનકે એક થી ત્રણ નરકમાંથી કોઇ પણ નરકનું આયુષ્ય બાંધેલું હોય તો એ ક્ષયોપશમ સમકીત પામી બાવીશની સત્તા પ્રાપ્ત કરી ઘણી ખરી સમ્યકત્વ મોહનીયને ખપાવી થોડી ભોગવવાની Page 128 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy