SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ દીધો અને પોતે નિવણમોહ નામના મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. કેવું આ કુટુમ્બ ? એ કુટુમ્બના સંસ્કાર કેવા ? ‘વજબાહુએ મને પૂછ્યા વિના દીક્ષા કેમ લીધી ?' –એવો વિચાર સરખો પણ આવ્યો નહિ અને એવો વિચાર આવ્યો કે- “બાળક છતાં એ સારો !” ત્યારે, દીકરાએ સારું કામ પૂછયા વગર પણ કર્યું હોય, તોય સારાં મા-બાપ એ સાંભળીને રાજી થાય ને ? આનન્દ અનુભવે ને કે- “દીકરો સારો પાક્યો!' સમક્તિ ઉપર મેઘનાદ કુમારની ક્યાઃ પૃથ્વી મંડળના કુંડળ જેવું અને ઉંચા પ્રસાદની શ્રેણિ વડે મનોહર ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર છે. તેમાં ગુણોના સમૂહરૂપ મણિના નિધિ સમાન મેઘનાદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેના યશરૂપી કમળનો સુગંધ સર્વ દિશાઓમાં પ્રસર્યો હતો.તેના ઉપર કોઇ દેવે સંતુષ્ટ થઇને તેને એક કચોળું આપ્યું હતું, તેના પ્રભાવથી તે રાજા અપરિમિત મનવાંછિતોને પામતો હતો. સુવર્ણ, મણિ, કપૂર, કસ્તૂરી, ચંદન, ચીનાંશુક (વસ્ત્ર) વિગેરે ઉત્તમ વસ્તુઓ તેને પ્રયત્ન વિના જ પ્રાપ્ત થતી હતી. અત્યંત દ્રઢ, મોટા અને ળેલા સમકિત રૂપ કલ્પવૃક્ષ પાસેથી તે નિરંતર સુખરૂપી અમૃતરસના આસ્વાદવાળા દિવ્ય ભોગ ળોને ભોગવતો હતો. જે પ્રાણીને સમકિત પ્રાપ્ત થયું હોય તે પ્રાણીએ જો પૂર્વે પરભવનું આયુષ્ય બાંધ્યું ન હોય. અથવા તો તે સમકિત થકી ચવ્યો ન હોય તો તે અવશ્ય વૈમાનિક દેવ થાય છે. તે વિષે કહ્યું છે કે “सुद्धे सम्मत्ते अ-विरओडवि अज्जेइ तित्ययरनाम । जह आगमेसि भद्दा, हरिकुलपहु सेणिआईया ||" “વિરતિ રહિત હોય તો પણ જે શુધ્ધ સમકિતવાનું હોય તો તે જીવ તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરે છે. જેમનુ આગામી (ભવિષ્ય) કાળમાં કલ્યાણ થવાનું છે એવા શ્રી કૃષ્ણ તથા શ્રી શ્રેણિક વિગેરે આ વિષયમાં ઉદાહરણરૂપ છે.” મેઘનાદ મનુષ્ય છતાં પણ તેને તે કચોળું જે દેવતાઇ ભોગની સમૃધ્ધિઓ આપતું હતું તેમાં તેના પુણ્યનો પ્રભાવ જ કારણ ભૂત છે. તે રાજા હંમેશાં દીનાદિકને જાણે કે શરીરધારી તેજના પિંડભૂત હોય તેવી દશ કરોડ સુવર્ણ મુદ્રા આપતો હતો. તેણે જાણે પોતાની કીર્તિએ બનાવેલા મૂર્તિમાન સ્વરૂપો હોય એવાં હજારો જિનચેત્યો કરાવ્યાં હતાં, અને તેમાં રૂપાની, સુવર્ણની અને મણિઓની અનુપમ લાખો જિનપ્રતિમાઓ સ્થાપના કરી હતી, અરિહંત, સિધ્ધ અને આચાર્ય ભગવાનની જાણે સાક્ષાત્ મૂતિઓ હોય તેવી પોતપોતાના વર્ણ, ક્રાંતિ અને શરીરના પ્રમાણવાળી પ્રતિમાઓ તેણે સ્થાપના કરી હતી. તે રાજા પાપે કરીને શ્યામ થયેલા આત્માના મળને ધોઇ નાંખતો હોય તેમ હમેશાં જિનસ્નાત્રના મહોત્સવને કરતો હતો. ઉત્તમ મનુષ્યોની પ્રવૃત્તિ અને આચાર વિગેરેનું જાણે દિગદર્શન કરવા માટે હોય તેમ તે દર વર્ષ તીર્થયાત્રા અને રથયાત્રાઓ કરતો હતો. તેણે સાધર્મિકોનો કર માફ કરી તથા આદરપૂર્વક દ્રવ્યાદિક આપી તેમને લખેશ્વરી અને કોટેશ્વરી બનાવ્યા હતા. તે રાજા હમેશાં બે વાર પ્રતિક્રમણ કરતો હતો, ત્રણે કાળ સર્વજ્ઞની પૂજા કરતો હતો અને પર્વતિથિએ પુણ્યના આવાસ રૂપ પૌષધ વ્રત કરતો હતો. પારણાને દિવસે ત્રણ હજાર રાજાઓને સંસાર સમુદ્રને તારનારું અને માટી સમૃદ્ધિના કારણરૂપ પારણું કરાવતો હતો, તથા હમેશાં તે રાજા એકલાખ સાધર્મિકોને ભોજન કરાવી હણરહિત થતો હતો બુદ્ધિમાન તે રાજા હંમેશાં ક્ષીરસાગરની જેવા ઉજ્વળ વસ્ત્રોવડે અને સુવર્ણ તથા મણિઓનાં સમગ્ર ભૂષણોવડે સંઘને Page 124 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy