SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અને હજ ગ્રન્થિ જેમની ભૂદાઇ નથી એવા આત્માઓમાં વિરાગનો ભાવ અને મોક્ષનો આશય પ્રગટી શકે, જ્યારે વિરતિનો પરિણામ પાંચમા પહેલાં પ્રગટી શકે નહિ. વિરતિનો પરિણામ ચોથા. ગુણસ્થાનકે પણ હોઇ શકે નહિ, કેમ કે એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિનો વિષય છે. એટલે દેશવિરતિનો પરિણામ જેનામાં પ્રગટ્યો હોય તે પણ પરણવા જાય એ બનવાજોગ છે, તો પછી ચોથા. ગુણઠાણે રહેલો વિરાગી આત્મા અને પહેલા ગુણઠાણે રહેલો મન્દ મિથ્યાત્વવાળો વિરાગી આત્મા. પરણવા જાય, તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? શ્રી વજબાહુ જ્યારે પરણવા ગયા ત્યારેય તેમનામાં વિરાગનો ભાવ નહોતો જ એમ નહિ, એ તો હતો જ, પણ એમ કહી શકાય કે-એ વખતે સર્વવિરતિના પરિણામને એ પામ્યા નહોતા અને સર્વવિરતિનો પરિણામ પમાડે એટલો જોરદાર એમનો વૈરાગ્ય નહોતો. છતાં, એમનું ચારિત્રમોહનીય એવું ઢીલું પડી ગયેલું ખરૂં જ કે-જાણે ટકોરા માત્રથી ચારિત્રનો પરિણામ પ્રગટી જાય. મુનિનું દર્શન થયું ને મશ્કરીની ટકોર લાગી ક-એ કર્મ ખસી ગયું અને ચારિત્રનો પરિણામ પ્રગટી ગયો. સ. ભવિતવ્યતાવશ એવું બન્યું, એમ કહેવાય ? માત્ર ભવિતવ્યતાવશ સર્વવિરતિનો પરિણામ પ્રગયો એમ પણ ન કહી શકાય. અંદર પુરૂષાર્થ ચાલુ જ હતો. સુન્દર વિરાગના સ્વામી આત્માઓને લગ્ન કરતાંય એમ થાય કે- “શું થાય ? નબળો છું; પરાધીન છું; હજુ સર્વવિરતિનો ઉત્સાહ પ્રગટતો નથી; ભોગ ખરેખર સારા નથી, છતાં મન એ તરફ ખેંચાય છે !” સમ્યગ્દષ્ટિ કદી પણ પરણવા જવું એ સારું છે, પરણવું જ જોઇએ, એવું માનીને પરણવા જાય નહિ. અવિરતિની દરેક ક્રિયાની એના દિલમાં ખટક હોય જ. સંસારના કોઇ પણ કામમાં એને ઉપાદેયભાવનો રસ આવે નહિ અને હેયભાવની અસર બની રહે. આ પણ પુરૂષાર્થ છે. હેયોપાદેયનો વિચાર અને હેયનો ત્યાગ કરવાનો તથા ઉપાદેયનો સ્વીકાર કરવાનો વિચાર થયા કરે એય પુરૂષાર્થ છે; અને, સમ્યગ્દષ્ટિ આત્માઓને એ પુરૂષાર્થ મોટે ભાગે ચાલુ હોય. વાત એ છે કે-વૈરાગ્ય હોવા માત્રથી વિરતિનો સ્વીકાર કરી શકાય એવું નથી. વૈરાગ્ય હોય અને વિરતિનો પરિણામ પ્રગટે, તો જ સાચા ભાવે ચારિત્રનો સ્વીકાર કરી શકાય. સમજી ગયા તમે ? ઉદયસુન્દર, મનોરમા વગેરેને પણ આ નિમિત્તે વિરતિનો પરિણામ પ્રગટેલો. એટલે, એમાંના કોઇએ વિરતિના પરિણામ વિના દીક્ષા લીધી એમ કહેવાય નહિ. છતાં અહીં વૈરાગ્ય વિના દીક્ષા. લીધી હશે, એવો પ્રશ્ન શાથી આવ્યો ? વૈરાગ્ય વિના અને ચારિત્રના પરિણામ વિના પણ દીક્ષા લેનારા હોઇ શકે છે, માટે ને ? પણ, આવા આત્માઓને માટે એવી કોઇ કલ્પના કરવી એ યોગ્ય નથી. આ કુળમાં વૈરાગ્યના સંસ્કાર કેટલા બધા સુદ્રઢ અને વિકસિત હતા, એની તમને કલ્પના આવે એવો બીજો પણ બનાવ એ પછી તરતમાં જ બન્યો છે. શ્રી વજબાહુ વગેરેએ દીક્ષા ગ્રહણ કરી લીધી એટલે શ્રી વજબાહની સાથે અયોધ્યાથી આવેલો જે સેવકપરિવાર હતો, તે ત્યાંથી નીકળીને અયોધ્યા પહોંચી ગયો. તેણે જઇને શ્રી વજબાહુના પિતા વિજયરાજાને દીક્ષાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રી વજબાહુના પિતા વિજયરાજાએ રોમાંચ અનુભવ્યો. એમનો વૈરાગ્યભાવ તીવ્ર બની ગયો. એમને થયું કે- “મારો દીકરો મારા કરતાં સવાયો નીકળ્યો. એ બાળક સારો ને હું બુટ્ટો ખોટો. ખરો બાળ એ નહિ પણ હું, કે જે અત્યાર સુધી સંસારમાં ફ્રી રહ્યો છું !” આવો વિચાર કરીને, તરત જ વિજયરાજાએ પણ પોતાના વજબાહુથી નાના પુત્રને રાજગાદીએ સ્થાપિત કરી Page 123 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy