SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અને વન્દનાદિ વિધિ કરીને શ્રી વજ્રબાહુએ વસ્ત્ર, અલંકર આદિ ઉતારીને એ મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે જ વસ્ત્રાલંકારાદિનો ત્યાગ કરીને ઉદયસુન્દરે અને મનોરમાએ પણ દીક્ષા ગ્રહણ કરી. સાથે જે પચીસ રાજકુમારો હતા, તેમણે પણ એ જ વખતે વસ્ત્રાલંકારાદિનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. સ. વૈરાગ્ય વિના જ બધાએ દીક્ષા લઇ લીધી ? ના; વૈરાગ્ય વિના બધાએ દીક્ષા ગ્રહણ કરી છે એવું નથી. વૈરાગ્યનો ભાવ તો એ લોકોના મનમાં હતો જ. આ નિમિત્ત મળતાં વૈરાગ્યનો એ ભાવ એકદમ ઉદ્દિપ્ત થયો એટલું જ. જૈન કુળમાં જે જન્મ્યો હોય અને જૈન કુળના સંસ્કાર જે પામ્યો હોય, તેનામાં વિરાગ ન હોય એ બને કેમ ? જૈન કુળમાં તો મા ધાવણમાં પણ વૈરાગ્યનું પાન કરાવે એમ કહેવાય. અરે, જૈન કુળમાં વૈરાગ્યના સંસ્કાર ગર્ભમાં પણ પડે એમ કહી શકાય. કેમ કે-જૈન કુળમાં ચાલતી દરેક વાતમાં મોટે ભાગે વૈરાગ્યની અસર હોય. ખાવાની વાત હોય કે પીવાની વાત હોય; રળ્યાની વાત હોય કે ખોયાની વાત હોય; ભોગોપભોગની વાત હોય કે ત્યાગ-તપની વાત હોય; જન્મની વાત હોય કે મરણની વાત હોય; જૈન કુળમાં ચાલતી પ્રાયઃ દરેક વાતમાં વૈરાગ્યનાં છાંટણાં તો હોય જ. જૈનો જે બોલે, તેમાં જે સમજદાર હોય તે તો સમજી શકે કે-વૈરાગ્યની અસર છે. આજે આ અનુભવ વિરલ બનતો જાય છે, એ કમનસીબી છે. બાકી તો પુણ્યની, પાપની, સંસારની દુ:ખમયતાની, જીવનની ક્ષણભંગુરતાની, ચીજોના નાશવન્તપણાની, આત્માની ગતિની અને મોક્ષ આદિની વાતની અસર મોટે ભાગે જૈનની દરેક વાતમાં હોય. કેમ કે-હૈયે એ હોય. સારૂં -નરસું જે કાંઇ પણ બને તે વિષે અથવા કાંઇ નવું કરવાનો અવસર આવે તે વખતે જે વાત થાય તેમાં, સાચા જૈનો જો વાતકરનાર હોય તો, વૈરાગ્યની છાંટ જ ન હોય એ બને એવી વસ્તુ છે ? સંસારના સુખમાં અને સંસારના સુખની સામગ્રીમાં બહુ રાચવા-માચવા જેવું નથી-એવી વાત થાય; અને, એ જાય ત્યારે શોક થયો હોય તો શોક કરતાં પણ એના નશ્વરપણા વગેરેની વાત થાય; તો એ વાત પણ વૈરાગ્યના ઘરની જ વાત છે ને ? તમે સાંભળ્યું ને કે-શ્રી વજ્રબાહુએ ઉદયસુન્દરને સમજાવતાં કહ્યું કે- ‘ચારિત્ર એ જ આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ફ્ક્ત છે. અને, એ વાતનો ઉદયસુન્દરે પણ વિરોધ કર્યો નહિ ને ? બીજી વાત એ પણ છે કે-વૈરાગ્યના સંસ્કાર જ ન હોત, તો શ્રી વજ્રબાહુએ જ્યારે મુનિને વન્દન કરવાની ઇચ્છા પ્રગટ કરી, ત્યારે મશ્કરીમાં પણ ઉદયસુન્દરે જે એ જ પૂછયું ક- ‘શું તમે દીક્ષા ગ્રહણ કરશો ?' તે પૂછયું ન હોત. એ કાંઇ આજના કેટલાકોની જેમ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા નહોતા; અને, જો એ દીક્ષાના માર્ગની મશ્કરી કરનારા હોત, તો તો અહીં બધાએ દીક્ષા ગ્રહણ કરી તેની જગ્યાએ કોઇ નવું જ અને બહુ વિચિત્ર ગણાય તેવું તોાન પેદા થયું હોત ! સ. જો મનમાં વૈરાગ્ય હતો તો પરણવા શું કરવાને ગયા ? વૈરાગ્ય એ મિથ્યાત્વના ક્ષયોપશમાદિ-જનિત કાર્ય છે અને વિરતિ એ ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ-જનિત કાર્ય છે. વિરાગ મિથ્યાત્વની મન્દતાના યોગે જન્મે, એટલે પહેલા ગુણઠાણે રહેલા પણ મન્દ મિથ્યાદ્રષ્ટિઓમાંય વિરાગ હોઇ શકે. સમ્યદ્રષ્ટિમાં વિરાગ અવશ્ય હોય, પણ સમ્યગ્દર્શનને નહિ પામેલામાં વિરાગ ન જ હોય એમ કહી શકાય નહિ. મોક્ષનો આશય પણ, સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં મિથ્યાત્વની મન્દતાથી આવી શકે છે. ગ્રન્થિદેશથી આગળ વધેલા Page 122 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy