SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ તીર્થંકર પરમાત્માઓની રસ્તુતિ ચૌદ રાજલોક રૂપ જગતને વિષે સર્વવિરતિ સામાયિક માત્ર તિરસ્કૃલોકને વિષે સમય ક્ષેત્રને વિષે એટલે પીસ્તાલીશ લાખ યોજન એવા મનુષ્ય ક્ષેત્રને વિષે અને એમાંય મોટાભાગે પંદર કર્મભૂમિના ક્ષેત્રોને વિષે જ મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે. બાકીના કોઇ ક્ષેત્રોમાં જીવો સર્વવિરતિ સામાયિકને પ્રાપ્ત કરી શકતા. નથી. જ્યારે દેશવિરતિ સામાયિક તિરસ્કૃલોકને વિષે એક રાજ યોજન લોકને વિષે કોઇપણ મનુષ્યો અને તિર્યંચો પ્રાપ્ત કરી શકે છે. સમ્યકત્વ સામાયિક ચારે ગતિના સન્ની પર્યાપ્તા-અપર્યાપ્તા જીવોને હોય છે. પ્રાપ્તિ સન્ની પર્યાપ્તા જીવો કરી શકે છે એવી જ રીતે શ્રુત સામાયિક ચારે ગતિના સન્ની પર્યાપ્તા જીવોજ પ્રાપ્ત કરી શકે છે. સર્વવિરતિ સામાયિક જગતને વિષે સૌથી પહેલી ગ્રહણ કરી હોય તો તે તીર્થંકર પરમાત્માઓએ ગ્રહણ કરેલી છે. તીર્થંકર પરમાત્માઓના આત્માઓએ છેલ્લે ભવે સર્વવિરતિ સામાયિકનો સ્વીકાર કરીને પોતાના આત્માને સમભાવમાં એટલે સમતાભાવમાં સ્થિર કરી. ત્રીજા ભવે જે શ્રુતજ્ઞાન ભણેલું લઇને આવેલા છે એ જ્ઞાનના ઉપયોગમાં પોતાના મનને બરાબર સ્થિર કરી જગતમાં રહેલા પદાર્થોનું ચિંતન કરતા કરતા પોતાના આત્મામાં રહેલા રાગાદિ પરિણામનો ઉદય હોવા છતાં ઉદય વિચ્છેદ કરતાં કરતાં એટલેકે એ ઉદયને ભોગવતા ભોગવતા જ્ઞાનના ઉપયોગથી નિળ બનાવતા બનાવતા જે કોઇ પરિષહો અને ઉપસર્ગો આવે એ અનુકૂળ કે પ્રતિકૂળ એને સારી રીતે સહન કરતા કરતા સમતાભાવથી નિરતિચાર ચારિત્રના. Page 7 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy