________________ સ્થાપના રૂપે ભાવપૂર્વક વંદન કરીને એમની સ્તવના કરે છે. તેમજ રા દ્વીપમાં રહેલા સાધુ ભગવંતોને યાદ કરીને નમસ્કાર કરીને 6 આવશ્યકને યાદ કરી જાય છે અને તે વખતે ઉપયોગપૂર્વક જે પચ્ચખાણ કરવાનું હોય એ આવડતું હોય તો પોતાના હાથે પચ્ચખાણ લે છે ન આવડતું હોય તો પચ્ચખાણની ધારણા કરે છે. આ રીતે પચ્ચખાણ કર્યા બાદ દેવ વંદનની શરૂઆત કરે છે. એ દેવવંદન પુરૂ થયા પછી રાા દ્વીપને વિષે રહેલા સાધુ ભગવંતોને વંદન કરીને આપણાથી નજીકમાં કેવલજ્ઞાની તરીકે વિચરતા એટલે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રને વિષે વિચરતા 20 તીર્થકરોમાંથી પહેલા ચાર તીર્થંકર પરમાત્માઓ આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા છે એમાના સૌથી પહેલા સીમંધર સ્વામિ ભગવાન આપણે જે ક્ષેત્રમાં આરાધના કરીએ છીએ એ ક્ષેત્રથી નજીક થાય છે માટે સિમંધરસ્વામીની સ્તવના રૂપે એમનું ચૈત્યવંદના અને સ્તવન તેમજ સ્તુતિ મંગળરૂપે યાદ કરીએ છીએ ત્યાર પછી આ જંબુદ્વીપને વિષે પ્રાયઃ શાશ્વતો. ગણાતો શંત્રુજય ગિરિ કે જે પર્વત અત્યાર સુધીમાં અનંતા તીર્થકરો અનેક બીજા આત્માઓ કે જ્યાં કાંકરે કાંકરે અનંતા જીવો સિદ્ધિગતિને પામ્યા છે એ અનંતા સિદ્ધિગતિને પામેલા જીવોને યાદ કરીને અને આ. અવસર્પિણીના પ્રથમ તીર્થકર બદષભદેવ ભગવાન પોતાના આત્માન કલ્યાણ સાધવા પૂર્વ નવ્વાણું વાર ઉપર ચઢીને કાઉસગ્ગ ધ્યાને રહીને પોતાના આત્માનું કલ્યાણ સાધતા હતા એ બદષભદેવ ભગવાનની સ્તવના. રૂપે આત્માનું કલ્યાણ સાધવા માટે એમનું ચૈત્યવંદન, સ્તવના, સ્તુતિ કરાય છે. આ કારણથી આ શત્રુંજય ગિરિરાજનું સ્તુતિ, સ્તવન, ચેત્યવંદન કરાય છે. આ રોતે વિર્ષોલ્લાસપૂર્વક જ્યારે શત્રુંજય ગિરિરાજની સ્તવના પૂરી થાય ત્યારે એના આત્માને રાત્રીના થયેલા પાપોથી હું રહિત થયો એનો આનંદ પેદા થતો જાય. છે. અહીં રાઇ પ્રતિક્રમણની પૂર્ણતા થાય છે. સંપૂof Page 67 of 67.