SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ટંકોનો ત્યાગ કરતા કરતા ૧૮૦ દિવસ સુધી આહાર વગર જીવી શકાય છે એમાંથી અભ્યાસ કરતા કરતા. ક્યારે હું ૧૮૦ ઉપવાસ કરતો થાવું આવી ભાવના રાખીને વર્તમાનમાં એક સાથે જેટલા ઉપવાસ કર્યા હોય તેના આંકડાની વિચારણા આવે ત્યારે એટલે કે ૧૮૦ ઉપવાસમાંથી ૬ મહિનાના ઉપવાસને બદલે પાંચ મહિનાના ઉપવાસની વિચારણા કરવી પછી ચાર મહિનાના ઉપવાસની વિચારણા કરવી પછી ત્રણ મહિનાના ઉપવાસની વિચારણા કરવી ત્યાર પછી બે મહિનાના ઉપવાસની વિચારણા કરવી. આ રીતે બે માસના ઉપવાસ સુધી ઉતરીને ૧ મહિનાના ઉપવાસની ભાવના કરવી. એક માસના ઉપવાસ પછી એક એક ઉપવાસ ઘટાડીને ૧૬ ઉપવાસ સુધીની ભાવના કરવી. ૧૬ ઉપવાસ સુધીની ભાવના કરીને એના પછી આહારના ટંકના ત્યાગની વિચારણા કરવી એટલે કે ૧૬ ઉપવાસમાં ૩૪ ટંકના આહારનો ત્યાગ થાય છે. ૩૪ ભક્તના ત્યાગમાંથી બે બે ઓછા કરતા કરતા ૩૨, ૩૦, ૨૮, ૨૬, ૨૪, ૨૨, ૨૦, ૧૮, ૧૬, ૧૪, ૧૨, ૧૦, ૮ (અઠ્ઠમ થાય) (બે ઉપવાસ) ૪, ૨ ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું, બિયાસણું, અવટ્ટ, પુરિમટ્ટ, સાઢપોરિસિ, પોરસિ, નવકારશી. આ રીતે તપચિંતવણીના કાઉસગ્નમાં વિચારણા કરતા કરતા જીવનમાં જેટલો તપ કર્યો હોય એની સંખ્યાની શરૂઆત થાય ત્યાંથી ઓછો લેપ કરવામાં શક્તિ છે, પરિણામ નથી એમ શબ્દો બોલવાના હોય છે. પરિણામ એટલે જે દિવસે જે તપ કરવાની ભાવના કરો હોય અને શક્તિ મુજબ તપની વિચારણા કરી હોય, વર્તમાનમાં ભાવનાને શક્તિ મુજબ તપ કરવાનો પરિણામ પેદા થતો નથી. આથી જેટલો પરિણામ પેદા થાય એટલે કે વિર્ષોલ્લાસપૂર્વક એ દિવસે જેટલો તપ કરવાની ઇચ્છા થાય એ તપ કરવો અને પરિણામ કહેવાય છે. આથી નિશ્ચિત થાય છે કે મનના પરિણામ રોજે રોજ એક સરખા રહેતા ન હોવાથી તેમજ શરીરની શક્તિ પણ રોજે રોજ એક સરખી રહેતી ન હોવાથી જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના મનની એકાગ્રતાથી અને શરીરની શક્તિ મુજબ કરવાનું વિધાન કહેલુ હોવાથી એ જ્ઞાન , દર્શન, ચારિત્રની આરાધનામાં ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવામાં સહાયભૂત થાય એ રીતે રોજે રોજ પરિણામ પૂર્વક એટલે કે વિર્ષોલ્લાસપૂર્વક તપ કરવાનું વિધાન કહેલું છે અને પરિણામ કહેવાય છે. આરાધનામાં ભાવના અણહારી પદ એટલે કે મોક્ષની કરવાની અને તેના પરિણામ રૂપે મેળવવા તેના પ્રતિપક્ષીને કાઢવા જ પડે. અજ્ઞાન ને અજ્ઞાન રૂપે ઓળખવું જ પડે. તે સંસાર વધારે. ભગવાન તેમના જેવા ત્યારે જ બનાવે કે જ્ઞાન પેદા થાય ત્યારે ઘર પ્રત્યે રાગ ઘટાડવો જ પડે મંદિર પ્રત્યે રાગ વધારવો જ પડે. કેવલજ્ઞાન પામવા માટે મોહનીય કર્મનો જ નાશ કરવાનો છે. તે જાય એટલે બધા જતા રહે છે. આ રીતે ભાવના શક્તિ પરિણામ ત્રણે રીતે રાઇ પ્રતિક્રમણને વિષે તપ ચિંતવણીના કાઉસગ્ગને વિષે વિચારણા કરતા કરતા પોતાના આત્માની વિશુધ્ધી વધારવા માટે અને વિશેષ રીતે કર્મની નિર્જરા કરવા માટે વિર્ષોલ્લાસપૂર્વક તિથિને યાદ કરીને પચ્ચખાણની ધારણા કરે છે અને એ પચ્ચખાણની ધારણા પરિણામ રૂપે પેદા થાય એટલે કાઉસગ્ગ પાળે છે. કાઉસગ્ગ પાળીને પોતાના આત્મામાં વિર્ષોલ્લાસ વંધતા ૨૪ તીર્થંકર પરમાત્માઓએ મારા પોતાના આત્માના ઉપકારને માટે આહાર ત્યાગ કરીને કેટલી સુંદર ચીજ મારા માટે મૂકી છે. આવી વિચારણા પેદા થતા ૨૪ તીર્થંકર પરમાત્માની સ્તવના કરે છે. આ રીતે લોગસ્સ બોલ્યા પછી મુહપત્તિનું પડિલેહણ કરી જે ગુરૂભગવંત પાસે પાપથી પાછા વાનો પ્રયત્ન કરે છે એમને ઉલ્લાસપૂર્વક વંદન કરે છે. વંદન કર્યા બાદ ૧૪ રાજલોકને વિષે શાશ્વતી-પ્રતિમાઓ અને અશાશ્વતી પ્રતિમાઓ જ્યાં જ્યાં દેવલોકને વિષે રહેલી છે. તીર્થોને વિષે રહેલી છે એમના નામથી ને Page 66 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy