SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી પરિણામ ટકી શકતા નથી માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્રિયાઓ ના સિદાય તે રીતે તપ કરવાનો વિધિ છે. એવી રીતે શક્તિથી ઓછો પણ તપ કરવાનું વિધાન નથી. જો જીવ આહાર સંજ્ઞાને આધીન થઇ જાય તો મોહના ઉદયથી જીવને શક્તિ હોવા છતાં પર્વના દિવસે કલ્યાણકોના દિવસે તપ કરી શકે તેવી શક્તિ હોવા છતાં તપ કરવાનું મન થતું નથી અને પોતે જ રૂટીન મુજબ જીવનમાં, જે તપ કરતો હોય તે પ્રમાણે કરતો રહે છે. આથી આવા જીવોને અંતરમાં આહારસંજ્ઞાને સંયમિત કરવાને માટે અણાહારીપણાનું લક્ષ પેદા કરીને સકામ નિર્જરાપૂર્વક કર્મોની નિર્જરાની ભાવના પેદા થતી નથી. જે જીવોના અંતરમા ખાવ તે પાપ છે. આવી બધ્ધિ પેદા કરીને લાંબાકાળ સધી એ બદ્ધિને ટકાવવાનો પ્રયત્ન કરતો જાય અને બને તેટલું ઓછા ટંકથી જીવન જીવાય એ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરતા કરતા વચમાં વચમાં શક્તિ મુજબ સંપૂર્ણ ટંકનો ત્યાગ કરીને એટલે કે ઉપવાસ કરીને પોતાનું જીવન જીવતો થાય કે જેથી અણાહારીપણાનું લક્ષ લાંબાકાળ સુધી અંતરમાં ટક્યું રહે. આ વિચારણા અંતરમાં પેદા કરીને એનો સંસ્કાર દ્રઢ કરવા માટે આત્મામાં ક્ષયોપશમ ભાવે ધર્મની પ્રાપ્તિ પેદા કરવા માટે અથવા પેદા થયેલી હોય તો એ ધર્મને સ્થિર કરવા માટે રોજ સવારમાં ઉઠીને પોતાની શક્તિ માપીને તપની વિચારણા કરતો. જાય છે અને ભાવનાના વિચારો કહેવાય છે કારણ કે ઉઠતાની સાથે જ આજે કઇ તિથિ છે, કયા કયા. કલ્યાણકો છે, કેટલો મહત્વનો દિવસ છે, પર્વનો દિવસ છે કે સામાન્ય દિવસ છે. ઇત્યાદિ અનેક પ્રકારની વિચારણાઓ કરવી અને આહારના ત્યાગની ભાવનાઓની વિચારણાઓ કરવી તને ભાવના રૂપે તપની. વિચારણા કહેવાય છે. આહાર કરવો તે પાપ છે. તે માટે તપ કરીને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી કર્મ ખપાવીને અણાહારી પદ મેળવું તેવું લક્ષ રાખીને તપ કરો. આહારની ઇચ્છા મોહનીય કર્મના ઉદયથી. આહાર મળે લાભાંતરાયના ક્ષયોપશમ ભાવથી. આહાર ભોગવાય ભોગતરાંયના ક્ષયોપશમ ભાવથી. આહાર ત્યાગની ઇરછા અણાહારી પદના લક્ષથી. મોહનીયકર્મના ક્ષયોપશમ ભાવથી. અણાહારી પદને મેળવવા સૌથી પહેલા મોહને ઘા મારો. આહારની ઇચ્છા તૂટે તો અણાહારી પદને મેળવવાનું લક્ષ પેદા થાય. ખુદ તીર્થંકર પરમાત્માઓને ખબર હોવા છતાં કે હું તીર્થંકર થવાનો છું તીર્થની સ્થાપના કરવાનો છું છતાં પણ પૂર્વભવના કર્મોને ખપાવવા તેમને પણ નિર્જરા તપ કર્યો હતો. લક્ષનો અભાવ એજ મોહનીય કર્મનો ઉદય છે. તિથિની અપેક્ષાએ પરિણામની શક્તિ આવે. ભાવનાથી શક્તિ મપાય. જીવનમાં જ્યાં સુધીનું તપ કર્યું હોય ત્યાં સુધીનો વિચારણા કરે. ઇચ્છા નિરોધ તપ, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાથી જ પ્રાપ્ત થાય. ભાવના થઇ શક્તિ પરિણામ કાલે જોઇશું. આહાર કરવો એ પાપ છે એવી વિચારણા વારંવાર કરતા એનો સંસ્કાર જેટલો રૂઢ થતો જાય એનાથી અંતરમાં આહારની પ્રતિપક્ષી ચીજ અણાહારી પણાનો ભાવ અંતરમાં પદા થતો જાય છે. એટલે કે અણાહારી પણાની ભાવના અંતરમાં રાખીને અત્યારે વર્તમાનમાં ભગવાન મહાવીરના શાસનમાં અત્યારે જે સંઘયણ બળથી આરાધના કરું છું એ સંઘયણ બળના કાળમાં જે અભ્યાસ કરું છું તેનાથી આહારના Page 65 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy