________________
આ રીતે ચાર સ્તુતિ પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્માઓની સ્તવના રૂપે “નમુથુણં” સૂત્ર બોલીને અરિહંત, સિધ્ધ, આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતોને યાદ કરીને વિશેષ રીતે એમને નમસ્કાર કરવામાં આવે છે. આ રીતે વિયાંલ્લાસપૂર્વક નમસ્કાર કરીને આખા દિવસમાં સવારે જાગૃત થયા પછી અહીં આવ્યા ત્યાં સુધીમાં મન, વચન, કાયાથી કરવા રૂપે-કરાવવા રૂપે જે કોઇ પાપ થઇ ગયેલા હોય. આખા દિવસમાં જાણી જોઇને પાપ કર્યા હોય અથવા અજાણતાથી પાપ થયા હોય એ પાપોથી પાછા વા. માટે સ્કૂલથી એટલે કે સમુદાય રૂપે “મિચ્છામિ દુક્કડમ” માંગે છે. આ રીતે સ્થૂલથી પાપોથી પાછા એનો અંતરમાં આનંદ પેદા થતાં તેમજ આખા દિવસમાં કઇ કઇ રીતે પાપો થયાં એ પાપોને નાશ કરવા માટે વિસ્તારથી યાદ કરીને એ પાપોથી પાછા વા માટે શરૂઆત કરતા વર્તમાનમાં હું ક્યાં છું કયા સ્થાનમાં છું અને કઇ રીતે રહેલો છું એને યાદ કરવા માટે પોતે સામાયિક દંડક ઉચ્ચરેલું છે એનું સૂત્ર યાદ કરી જાય છે. એ “કરેમિ ભંતે” બોલ્યા પછી આખા દિવસમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર એ પાંચે આચારના પાલનને વિશે શક્તિ મુજબ પાલન ન થયું હોય તો એ સૂત્રથી એનો “મિચ્છામિ દુક્કડમ” દેવા માટે પંચાચારનો કાઉસગ્ન કરે છે એટલે કે એ કાઉસગ્નમાં “નાસંમિ” ની. આઠ ગાથાઓની અર્થ સાથે વિચારણા કરવાની કહેલી છે એ વિચારણા કરતા કરતા આખા દિવસમાં એ આચારોનું પાલન થયેલુ ન હોય અને એનાથી વિરુધ્ધ આચરણ થયેલું હોય એને યાદ કરીને એના પાપથી પાછો ફ્રે છે એટલે કે “મિચ્છામિ દુક્કડમ્” દે છે.
પંચાચારના આચારનો કાઉસગ્ગ પૂર્ણ થયા પછી ઉપકારી એવા ચોવીસ તીર્થંકર પરમાત્માઓને સ્તવના કરીને કારણકે એમને પાપથી પાછા ક્રવાની આ ક્રિયા બતાવેલી ન હોતતો પાપથી એટલો હું ભારે થતો જાત. આથી એઓએ એટલો બધો ઉપકાર કર્યો છેકે જેમના પ્રતાપે હું પાપથી પાછો ફ્રી શક્યો. આ રીતે વિચારણા કરીને ઉપકારીઓ પ્રત્યેની સ્તવના રૂપે લોગસ્સ બોલીને બીજુ આવશ્યક શરૂ કરવું છે તેને માટે મુહપત્તિનું પડિલેહણ કરે છે અને એ મુહપત્તિનું પડિલેહણ કરીને ગુરૂભગવંતની આજ્ઞા લઇને બીજા આવશ્યક રૂપે તેમને વંદન કરે છે કારણકે પાપથી પાછા વા માટે અરિહંત પરમાત્માની સાક્ષી જેમ જરૂર છે એમ પાપને પાપરૂપે ઓળખાવીને પાપથી પાછા વા માટે વારંવાર હિતશિક્ષા આપીને પાપથી પાછા
વવાનો પ્રયત્ન કરે છે એવા ઉપકારી ગુરૂ ભગવંતને વંદન કરે છે. વંદન કર્યા બાદ પોતે છપ્રસ્થ હોવાથી અને આખા દિવસના થયેલા વિશેષ પાપોથી પાછા વા માટે પ્રતિક્રમણની શરૂઆત કરતા પહેલા ફ્રીથી દિવસના થયેલા પંચાચાર સંબંધી પાપોને યાદ કરીને એનો મિચ્છામિ દુક્કડમ આપી જગતમાં રહેલા ૮૪ લાખ જીવાયોનિને વિષે જેટલા જીવો રહેલા છે તે જીવોને આખા દિવસની અંદર મન, વચન, કાયાથી દુ:ખ આપવા રૂપે-દ્વેષ કરવા રૂપે જીવોની ઇર્ષા કરવા રૂપે તેમજ એ જીવોની જે હિંસા થયેલી હોય એનો મિચ્છામિ દુશ્મ આપી અંતરથી વિર્ષોલ્લાસપૂર્વક સઘળાય જીવો પ્રત્યે મૈત્રિભાવ પેદા કરીને આખા દિવસમાં ૧૮ પ્રકારના પાપસ્થાનકોમાંથી જાણતા અજાણતા જે કોઇ પાપોનું સેવન થઇ ગયેલું હોય એને પણ યાદ કરીને મિચ્છામિ દુક્કડમ આપી પોતાના આત્માને મંત્રી, પ્રમોદ, કારૂણ્ય ને માધ્યસ્થ એ ચારે ભાવનાથી વાસિત કરીને આખા દિવસને વિષે શ્રાવકના જીવનના આચાર રૂપે સમ્યકત્વના અતિચાર અપ્રશસ્ત રૂપે ઇન્દ્રિયોનો ઉપયોગ થયેલો હોય અપ્રશસ્ત રૂપે મન, વચન, કાયાના યોગનો વેપાર કરેલો હોય અને અપ્રશસ્ત રૂપે ક્રોધ, માન, માયા, લોભ એ ચારે પ્રકારનો ઉપયોગ (કષાયનો) કર્યો હોય એને યાદ કરી એની નિંદા ગર્ણ કરીને એવા પાપ વિશિષ્ટ આત્માનો ત્યાગ કરીને શ્રાવકના ૧૨ વ્રતોમાંથી જે જે વ્રતોના.
Page 58 of 67