SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્ અધ્યવસાયથી કરેલી આવશ્યક ક્રિયાથી જે આનંદ પેદા થાય છે એ આનંદના પ્રતાપે સંસારમાં અનુકૂળ પદાર્થોની વિચારણાઓનો આનંદ પેદા થતો હતો તે આનંદ અંતરમાં દુ:ખરૂપ લાગતા ધીમે ધીમે એ આનંદ નાશ પામતો જાય છે અને સૂત્રોના આનંદમાં મોટો ભાગ જીવનો પસાર થતો જાય છે. તે તર્ગત અધ્યવસાય લોકોત્તર આવશ્યક કહેવાય છે. (૫) તતીવ્ર અધ્યવસાય :- આવશ્યક સૂત્રો વિશેષ ઉપયોગપૂર્વક ધ્યાન દઇને એકાગ્રચિત્તે અને ચિત્તની પ્રસન્નતાપૂર્વક બોલે અને સાંભળે આ રીતે બોલતા અને સાંભળતા અત્યાર સુધી અનુકૂળ પદાર્થોની સામગ્રીની ક્ષણિક શાંતિનો અનુભવ થતો હતો કે જે શાંતિ નાશપૂર્વકની રહેતી હતી એના બદલે હવે શાશ્વતી શાંતિનો અનુભવ શરૂ થાય છે એ શાંતિના અનુભવથી આત્મામાં એવો આનંદ પેદા થાય કે જે આનંદ અત્યાર સુધી પેદા ન થયો હોય એનાથી વિશેષ પેદા થતો જાય છે કે જેના કારણે અનુકૂળ પદાર્થોનો આનંદ આ આનંદની આગળ તુચ્છ લાગે છે અને એ તુચ્છતાના કારણે એ અનુકૂળ પદાર્થોના સુખો દુ:ખ રૂપ લાગતા જાય છે. જેમ જેમ તીવ્ર અધ્યવસાયની એકાગ્રતાથી સૂત્રો બોલાય તેમ સહજ રીતે ક્ષયોપશમભાવ પેદા થતો જાય એમાં મિથ્યાત્વની મંદતા પેદા થતાં શાશ્વત શાંતિના અનુભવના કારણે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવ પેદા થતાં જ એ અનુકૂળ પદાર્થોનું સુખ દુ:ખ રૂપ લાગે જ. આ અનુભવ પૂર્વક બોલાતા સૂત્રો અને સાંભળતા આનંદ પેદા કરાવે તેને તર્તીવ્ર અધ્યવસાય લોકોત્તર આવશ્યક કહેવાય છે. સંવેગ પૂર્વકનું સામાયિક નરકગતિ બંધાયેલી હોય તે તોડી શકે છે. સાધુ ભગવંતો એ ધન્ના અણગારને આંખ સામે રાખીને સાધુપણું પાળવાનું અને શ્રાવકોએ પુણીયા શ્રાવકને આંખ સામે રાખીને ધર્મ આરાધના કરવાની છે તોજ સુખમય સંસાર દુઃખમય લાગતો જાય. તર્તીવ્ર અધ્યવસાયથી સૂત્રો બોલતા કે સાંભળતા અર્થોને જાણ્યા વગર અર્થોનું જ્ઞાન મેળવ્યા વગર આટલો આનંદ પેદા થતો જાય છે તો એ સૂત્રોના અર્થોને જાણતો થાઉં એ સૂત્રોના અર્થની વિચારણા કરતો થાઉં તો મને જરૂર આના કરતાં વિશેષ આનંદ પેદા થાય જ. અર્થાત થયા વગર રહે નહિ. આથી વિશેષ આનંદ પેદા કરવા અને ટકાવવા માટે સૂત્રોના અર્થોને જાણવાની જિજ્ઞાસા અંતરમાં પેદા થતી જાય. છે અને પોતાની શક્તિ મુજબ સમય કાઢીને ગુરૂ ભગવંત પાસે સૂત્રોનાં અર્થોને જાણવાનો પ્રયત્ન કરતો જાય છે. આજ પ્રતિક્રમણ સૂત્રોને બોલવાની અને સાંભળવાની ફ્લશ્રુતિ છે. (૬) તઅર્થ ઉપયત :- સૂત્રો બોલતા અને સાંભળતા એ સૂત્રોના અર્થની વિચારણા કરતા ઉપયોગપૂર્વક આવશ્યકની ક્રિયા કરતા વિશેષ રીતે સંવેગ ગુણની પ્રાપ્તિ થતી જાય છે જેમ જેમ સંવેગની વૃદ્ધિ થતી જાય તેમ તેમ ચિત્તની પ્રસન્નતા વધતી જાય છે. ગુણોની પ્રાપ્તિ કરવામાં અશુભ કર્મોનો ઉદય પણ સ્થિરતા-પ્રસન્નતા અને સમાધિભાવ ટકાવવામાં સહાયભૂત થાય છે આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી જીવો ગુણપ્રાપ્તિ કરતા નથી ત્યાં સુધી એ બંધાતા અશુભ કર્મો ગુણો પેદા થવાને બદલે નાશ કરવામાં સહાયભૂત થાય છે એટલે કે જીવોને આત્મિક ગુણોથી દૂર રાખીને અનુકૂળ પદાર્થોના રાગને વધારવામાં અને ટકાવવામાં સહાયભૂત થાય છે એજ મોટું નુક્શાન કહેલું છે. સુખના હેતુથી ધર્મક્રિયા જ જીવોને રખડ પટ્ટી કરાવે છે. આત્મિક ગુણ પેદા કરવામાં દર્શન મોહનીયની મંદતા જ કરવાની હોય છે. અશુભ ભાવથી કરેલી ધર્મક્રિયા કરતા સુખના હેતુથી કરેલી ક્રિયા ગુણ પ્રાપ્ત કરવામાં વિશેષ રીતે Page 38 of 67
SR No.009172
Book TitleCha Avashyakna Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages67
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy