________________
સંસારની વૃધ્ધિ જેનાથી થતી હોય તેનાથી આત્માને પાછો વવો એનું નામ જ પ્રતિક્રમણ છે એટલે કે પાપથી પાછા વું.
મોક્ષનો અભિલાષ પેદા કરીને અથવા પેદા કરવા માટે સરળ સ્વભાવ-દયાનો પરિણામ-દાનરૂચિ-વિનય વૈયાવચ્ચ આદિ ગુણોને પેદા કરતો જાય અને એમાં દેવાયુષ્ય અથવા મનુષ્યાયુષ્ય બંધાય એને સંસાર વૃદ્ધિનું કારણ ન હોવાથી પાપરૂપે કહેલું નથી માટે એનું પ્રતિક્રમણ કરવાનું હોતું નથી. કારણકે મોક્ષના અભિલાષવાળા જીવોને સંસારના સુખના પદાથાં દુઃખરૂપ-દુ:ખ ફ્લક અને દુઃખાનુબંધી લાગ્યા જ કરે છે. માટે સરલ પરિણામવાળી વિચાર ધારાઓ શુભ આર્તધ્યાન રૂપે ગણાતી નથી. પણ શુધ્ધ પરિણામવાળી કહેવાય છે.
પહેલા ગુણસ્થાનકે મોક્ષનો અભિલાષ પેદા થયેલો હોય એવા જીવોને આંશિક સુખમાં લીનતા અને દુઃખમાં દીનતા થવા દેતો નથી.
કારણકે જ્ઞાનગર્ભિત વૈરાગ્યભાવ પેદા થયેલો છે.
સંસાર તો નિમિત્તોથી ભરેલો છે ડગલે ને પગલે ક્ષણે ક્ષણે નિમિત્તો મલ્યા જ કરવાના છે એમાં જીવે પોતાના આત્માના પરિણામને સ્થિર રાખીને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે.
જેટલો મોક્ષનો અભિલાષ પેદા થાય એટલે અંશે અનુકૂળ પદાર્થો દુ:ખ રૂપ લાગે જ.
આ રીતે મિથ્યાત્વ પ્રતિક્રમણ, અવિરતિ પ્રતિક્રમણ, કષાય પ્રતિક્રમણ, યોગ પ્રતિક્રમણ અને સંસાર પ્રતિક્રમણ. આ પાંચે પ્રતિક્રમણનો સમાવેશ છ આવશ્યકમાંથી ચોથા પ્રતિક્રમણ નામના આવશ્યકને વિષે થયેલો છે. આમાંથી આખા દિવસમાં જે જે પાપો જે જે ટાઇમે થયેલા હોય તે પાપોથી પાછા વા મિચ્છામિ દુક્કડં દેવા માટે આ ચોથું પ્રતિક્રમણ કહેલું છે. આ રીતે શ્રાવકો કરવા અને કરાવવા રૂપે મન-વચન-કાયાથી રોજ કરે તો એવી શક્તિ પેદા થાય કે કરવા-કરાવવા અનુમોદવા રૂપે મન, વચન, કાયાથી, પાપથી રહિત થઇ સર્વવિરતિને ગ્રહણ કરી સુંદર રીતે પાલન કરી શકે.
જ્યારે રોજ શ્રાવકોને પ્રતિક્રમણ કરતા કરતા એવા સર્વ પાપથી રહિત થઇને જીવન જીવવાના. ભાવો જાગે તે ભાવ પ્રતિક્રમણ કહેવાય છે.
જે કરવા લાયક કર્તવ્યો જ્ઞાની ભગવંતોએ કહેલા છે એનું પાલન ન થયું હોય અથવા પાલન કરતા. કરતા ભૂલો થઇ ગઇ હોય એ ભૂલોને કપટ રહિત થઇને શોધવી ફ્રીથી એવી ભૂલો ન થાય એની સતત કાળજી રાખવા માટે આત્માને જાગ્રત બનાવવો એ પ્રતિક્રમણ કહેવાય છે.
Page 28 of 67