________________
ડાઉરણ આવશ્યક
કાયાનો ત્યાગ કરીને મનની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તેને કાઉસ્સગ કહેવાય છે.
જે પદાર્થોનું ચિંતન-મનન કરવું હોય તેમાં કાયાનું હલન ચલન ચાલુ રહે, દ્રષ્ટિનું પણ હલન ચલના ચાલુ રહે એટલે દ્રષ્ટિ પણ એક સ્થિર ન રહે તો પદાર્થના ચિંતન-મનનમાં સ્થિરતા આવતી નથી, એકાગ્રતા પેદા થઇ શકતી નથી.
એ મનની સ્થિરતા પેદા કરવા માટે જ્ઞાની ભગવંતોએ સૌથી પહેલા કાયાને સ્થિર કરવાનું કહેલું
જો કાયાને સ્થિર કરવામાં ન આવે તો કાયાની ચંચળતાના કારણે અથવા કાયાની અસ્થિરતાના કારણે અથવા કાયના રાગના પ્રતાપે મન સ્થિર રહી શકતું નથી.
- અનાદિ કાળથી જગતને વિષે પરિભ્રમણ કરતો જીવ ચોદરાજલોકના દરેક ક્ષેત્રને વિષે અનંતી અનંતીવાર ઉત્પન્ન થઇને ત્યાં મલતા આહારના પગલોને ગ્રહણ કરીને એમાંથી શરીર બનાવે છે. એ શરીર પ્રત્યે આસક્તિ, રાગ અને મમત્વ અનાદિકાળથી જીવને બેઠેલા છે માટે સૌથી પહેલા શરીરનું મમત્વ તોડવાનું છે. શરીરથી જે પદાર્થો ભોગવાય છે એના કરતા મનની આશાઓ વધારે હોવાથી જે જે પદાર્થોની ઇચ્છાઓ અને આશાઓ કરે એ એનો ભોગવટો કહેવાય છે. આથી ભોગવવાનું કર્મ મનથી વધારે બંધાય છે. પદાર્થોને જોઇ જોઇને મનથી આનંદ પામીએ છીએ એ પદાર્થોને ભોગવ્યા સિવાયનો ભોગવટો કહેવાય
શરીરની જેટલી સ્થિરતા આવતી જાય એટલી જ મનની સ્થિરતા વધે છે માટે જ જૈન શાસનમાં કાઉસ્સગનું વિધાન કહેલું છે. કાઉસ્સગમાંથી જ અનુપ્રેક્ષા ધ્યાન પેદા થઇ શકે છે.
વાંચન માટેનો શોખે ગોખવા પ્રત્યે ઉપેક્ષા ભાવ પેદા કરાવે છે એથી જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાયા છે. કારણ કે ગોખવાની શક્તિ જીવની હોય પણ વાંચન કરતા કરતા થોડું થોડું યાદ રહેતું હોય અને વાંચવા માટે શોખ વધતો જતો હોય વાંચવામાં રસ પડતો હોય તો તે જીવોને પછી ગોખવાનો ટાઇમ કાઢવામાં કંટાળો આવે છે એટલે એ જીવોને ગોખવાને બદલે વાંચી લઇશ અને પુસ્તક સાથે રાખીશ એમ વિચારીને ગોખવામાં અને ગોખીને યાદ રાખવામાં રસ ઓછો થઇ જતાં ગોખવાનું બંધ કરી દે છે આથી કહેવાય છે વાંચનનો શોખ ગોખવામાં રસ નાશ કરી ઉપેક્ષા ભાવ પેદા કરે છે એનાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બાંધે છે.
કાઉસ્સગ = કાયાનો ત્યાગ.
જેટલા ટાઇમ સુધી કાયાનો ત્યાગ કરીને તત્વની વિચારણાઓ કરવી. જગતમાં રહેલા પદાર્થોનું ચિંતવન-મનન કરવું તે કાઉસ્સગ કહેવાય છે.
જગતમાં રહેલા પદાર્થોમાં જે છોડવાલાયક પદાર્થો છે તેમાં છોડવાલાયકની બુદ્ધિ અને ગ્રહણ
Page 29 of 67