________________
કાળે પુરિમઠું પચ્ચખાણના સમયથી એક ઘડી આગળનો અને એક ઘડી પાછળનો કાળ એજ રીતે રાતના મધ્યાહ કાળથી એક ઘડી આગળ અને એક ઘડી પાછળનો કાળ એ કાળવેળા કહેવાય છે. એ કાળને વિષે સુત્રોનું ચિંતન વગેરે થઇ શકે નહિ એટલે કે ગોખી કે વિચારી શકાય નહિ પણ તેના અર્થનું ચિંતન કરી શકાય
નવકાર મંત્ર
(૧) મહાનિશિથ સૂત્રમાં નવકાર મંત્રને પંચમંગલ મહાશ્રુતસ્કંધ નામ કહેલું છે. (૨) અભયદેવ સૂરિ મહારાજાએ ભગવતી સૂત્રમાં પરમેષ્ઠિપંચક નામ કહેલું છે. (૩) કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્રમાં પંચ પરમેષ્ઠિ નમસ્કાર નામ કહેલું
(૪) આચાર્ય ભગવંત હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ આવશ્યક ટીકામાં પંચ નમસ્કાર સૂત્ર કહેલું છે. (૫) આવશ્યક સૂત્રોની કથામાં નમક્કાર કહેલું છે. (૬) આચાર્ય ભગવંત જયસિંહસૂરિએ ધર્મોપદેશમાળામાં પંચ નમોક્કાર મહામંત નામ આપેલુ છે. (૭) લઘુ નમસ્કાર ફળને વિષે નવકાર નામ આપેલું છે. (૮) બૃહન્નમસ્કાર ફળને વિષે પંચ નમુક્કાર નામ આપેલું છે. (૯) શ્રાવક દિન કૃત્ય પ્રકરણમાં પરમેષ્ઠિ નમસ્કાર નામ આપેલું છે. (૧૦) કુલમંદન સૂરિએ વિચારામૃત સંગ્રહમાં નમસ્કાર નામ આપેલું છે. (૧૧) સજઝાયમાં મહામંત્ર નવકાર નામ આપેલું છે. (૧૨) લાભ કુશલસૂરિ ભગવંતે જે છંદો બનાવેલા છે તેમાં સિધ્ધમંત્ર તરીકે કહેલો છે.
આવી રીતે જુદા જુદા ગ્રંથોમાં મહાપુરૂષોએ નવકાર મંત્રનું બહુ માન અને આદર ભાવ આત્મિક ગુણોનું ઉત્થાન કરવા માટે સહાયભૂત થનાર નવકાર મંત્રને જુદી જુદી રીતે જણાવેલો છે.
નવકાર મંત્રના નવપદ છે અને અડસઠ અક્ષર થાય છે. એક એક અક્ષરની વિચારણા કરતા કરતા ધ્યાનરૂપે બનાવીને એ અક્ષરનું ગુંજન જેટલા લાંબા કાળ સુધી ચાલે તેમાં અશુભ ર્મો થોકના થોક નિર્જરાને પામે છે. જો એ જીવોના અંતરમાં ધ્યેય શુધ્ધિ હોય અને ધ્યેય શુધ્ધિની સાથે અત્યારે વર્તમાનમાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા કરવાની ભાવના રાખીને પ્રયત્ન કરવામાં આવે તો એ અડસઠ અક્ષરના કોઇપણ અક્ષરમાં
વિી શક્તિ રહેલી છે કે દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમભાવ પેદા કરાવીને સમકતની પ્રાપ્તિ કરાવ્યા વિના રહેતી નથી. એ સમકીત પેદા થયા પછી લાંબા કાળ સુધી સમકતને ટકાવવા માટે એ અડસઠ અક્ષરમાનો કોઇપણ અક્ષર જીવને સહાયભૂત થયા વિના રહેતો નથી.
જો વર્તમાનમાં આટલી શક્તિ નવકાર ધરાવતો હોય તો પછી સારાકાળમાં પહેલા સંઘયણના ઉદયકાળમાં મનુષ્યગતિને વિષે આઠ વર્ષની ઉપરની ઉંમરમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરાવીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવવામાં સહાયભૂત થતી હોય તો તેમાં આશ્ચર્ય શું છે? આથી જ્ઞાની ભગવંતોએ જગતમાં રહેલી સઘળી વિદ્યાઓના શિરોમણી રૂપે નવકાર મંત્રને જ ઉત્તમ વિદ્યા કહેલી છે. એવી જ
Page 2 of 75