________________
વસ્તુને જાણનાર તે આત્મા ધ્યાનનો વિષય ચર્ચતાં શ્રીમદજીએ કહ્યું: “ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગાભ્યાસીને દેખાય. દ્રષ્ટાંત તરીકે, ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂછડું હોવાનું ચિંતવે તો તેનો આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી. પણ તેને જાણનાર જે છે તે આત્મા છે.”
એક દિવસ તે સાંકેતિક આમ્રવૃક્ષ નીચે સાતે મૂનિઓ સાથે શ્રીમદ બિરાજ્યા હતા ત્યારે મુનિ મોહનલાલજીએ શ્રીમદને ફરિયાદ કરી “આહાર કરી રહ્યા પછી મને મુહપત્તી બાંઘતા વાર લાગે છે તેથી મહારાજ (શ્રી લલ્લુજી) મને દંડ આપે છે.”
શ્રીમદ્જીએ કહ્યું, “બધા મુહપની કાઢી નાખો. અને ઈડરની આસપાસ વીસ ગાઉ સુધી બાંઘશો નહીં. કોઈ આવીને પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.” -ઉ.પૃ.(૧૬) (૧૭)
કલ્પવૃક્ષ સમાન એ આમ્રવૃક્ષ નીચે છેલ્લે દિવસે સાતે મુનિઓ વહેલા આવી શ્રીમદ્જીની રાહ જોતા હતા એટલામાં પોતે પધાર્યા. ત્યાંથી વિકટ રસ્તે સર્વને દોરીને ચાલવા લાગ્યા.
સિદ્ધશિલા શ્રીમજી વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. પછી સાતે મુનિઓ આવીને સન્મુખ બેઠા. “અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વ નિર્ભય રહેજો.” સિદ્ધશિલા અને સિદ્ધસ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદે પૂછ્યું, “આપણે આટલે ઊંચે બેઠા છીએ, તે કોઈ નીચેનો માણસ તળેટી ઉપરથી દેખી શકે?” શ્રી લલ્લુજીએ કહ્યું, “ના, ન દેખી શકે.”
શ્રીમદે કહ્યું, “તેમ જ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય, અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે
ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ. પણ નીચે ભૂમિ ઉપર ઊભેલો માત્ર તેટલી ભૂમિને દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે, “તું થોડે ઊંચે આવ, પછી જો; તને ખબર પડશે.”
દ્રવ્યસંગ્રહ સમજાવ્યો-એ સર્વોપરી સમાગમ પછી શ્રીમદ્જીએ બધા મુનિઓને કહ્યું, “તમે પદ્માસન વાળી બેસી જાઓ અને જિન મુદ્રાવત બની ‘દ્રવ્યસંગ્રહ'ની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો.” તે પ્રમાણે બઘા બેસી ગયા. પછી શ્રીમજી દ્રવ્યસંગ્રહની ગાથાઓ મોટા અવાજે બોલવા લાગ્યા અને તેનો અર્થ પણ કરતા, પછી પરમાર્થ કહેતા. એમ આખો દ્રવ્યસંગ્રહ'ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો ત્યાં સુધી તે જ આસને બધા મુનિઓ અચળપણે રહ્યા. શ્રી દેવકરણજી ઉલ્લાસમાં આવીને બોલી ઊઠ્યા : “અત્યાર સુધી જે જે સમાગમ પરમગુરુનો થયો તેમાં આ સમાગમ અહો! સર્વોપરી થયો. જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે.”
પછી શ્રીમદે કહ્યું, “આત્માનુશાસન” ગ્રંથના કર્તા શ્રી ગુણભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્દભુત જ્ઞાનમાં રેલ્યા છે; આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે.” એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યો.
૨૨