________________
શ્રી ઠાકોરભાઈ માઘવજીભાઈ પટેલ
ખોજ પારડી (હાલ બારડોલી) તમારે ફરીથી મંત્ર લેવો છે?
સંવત્ ૨૦૦૨માં આસ્તા મુકામે ૧૮ વર્ષની ઉંમરે પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે મેં મંત્ર લીઘો હતો. પણ ૨૪ વર્ષની ઉંમરમાં મને એવો વિકલ્પ થયા કરતો કે મંત્રની આજ્ઞા આસ્તા ગામમાં મારાથી બરાબર વ્યવસ્થિત લેવાયેલી નથી. તે વખતે મારે અમેરિકા જવાનું હોવાથી આશ્રમમાં પૂજ્યશ્રીને મળવા આવ્યો. ત્યારે તેઓશ્રીએ મને સામેથી કહ્યું : “તમારે ફરીથી મંત્ર લેવો છે?” મેં કહ્યું : “હા પ્રભુ.” તે વખતની જે છાપ મારા હૃદયમાં પડી છે તે હજુ સુધી ભુલાતી નથી.
આજ્ઞાપાલનથી દુઃખનો નાશ
ના
શ્રી હીરાભાઈ પટેલ
વ્યારા મુમુક્ષુઓને જમાડવાનો ભાવ સફળ થયો.
પૂ.શ્રી બ્રહ્મચારીજી ઘુળિયાથી મુમુક્ષુઓ સાથે ટ્રેનમાં આવવાના છે એવા સમાચાર મને મળ્યા. બધાને જમાડવાનો મને ભાવ થયો. પણ મારી પાસે પૈસા નહીં. સ્થિતિ ગરીબ હતી.
એક ઘડિયાળ મારી પાસે હતું. તે ગીરવી મૂકી અથવા વેચીને રકમ મેળવવા માટે હું નીકળ્યો. એક જણાએ રૂા.૩૦/-માં તે
ખરીદી લીધું. મને થયું કે આ સમયમાં આટલા પૈસા તો ઘણાય છે. તેમાંથી અમે રસોઈ માટે સીઘુ સામગ્રી વગેરે ખરીદ કરી રોટલા અને દૂઘ બનાવી સ્ટેશને ગયા. ત્યાં બઘા મુમુક્ષુઓને પ્રસાદ આપ્યાનો લાભ મળ્યો. ત્રીસ રૂપિયામાં રસોઈની સામગ્રી ખરીદ કરતાં જે પૈસા પરચૂરણ વગેરે બચ્યાં હતા તે પૂજ્યશ્રીની પાસે મૂકી દીઘા.
થોડા વર્ષો પછી જેને મેં ઘડિયાળ રૂા.૩૦/-માં વેચેલું તે જ માણસ સહેજે મારી દુકાને તે વેચવા માટે આવ્યો હતો. મેં રૂા.૨૦/માં તે ઘડિયાળ પાછું ખરીદ્યું હતું. હા મારી પાસે છે.
“ઘર બદલ્યું છે?' એક વખત ઘર બદલી કરીને હું તરત જ આશ્રમમાં આવ્યો હતો. કોઈને ઘર બદલવાની ખબર નહીં. પૂ.શ્રી પ્રસંગોપાત્ત બોલ્યા : ઘર બદલ્યું છે? મેં કહ્યું, હા પ્રભુ! મને એ સાંભળી બહુ આશ્ચર્ય થયું હતું.
સુરત સાથે આવવાનું છે
,
ઈસ્વીસનું ૧૯૪૫માં ગામ મોટી ફરોદના ભૂલીબેન : નારણભાઈ પટેલ મારી સાથે એક વાર આશ્રમમાં આવેલા. અમે
પૂજ્યશ્રી પાસે મંત્ર લેવા ગયા. તે વખતે ભૂલીબેને સાત અભક્ષ્યમાં પહેલાનું ઘામણ મંદિર
મથની છૂટ રાખવા માટે માગણી કરી પૂજ્યશ્રીને જણાવ્યું કે : એકવાર પ.પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ઘામણ પધાર્યાની “દવામાં મઘ ન વાપરું તો મારા માથામાં વેગ ચાલે છે. એટલે સૂચના મને મળી એટલે હું ઘામણ મંદિરે ગયો. મંદિરમાં ઉપર : માથું બહું જ દુઃખે છે.” ત્યારે પૂજ્યશ્રી થોડી વાર મૌન રહી બોલ્યા પરમકૃપાળુ દેવના અને પ.પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટોના દર્શન “તમારા માથામાં જો વેગ ન ચાલે, તો કરવા ગયો. દર્શન કરતાં મેં પરમકૃપાળુદેવને અંતરથી વિનંતી તમારે મઘ વાપરવું નહીં.” બન્યું પણ કરી કે મારે પૂજ્યશ્રી સાથે સુરત જવું છે. દર્શન કરી નીચે ઊતર્યો એમ જ કે મંત્રની તે ઘડીથી લઈને સન ત્યાં પૂજ્યશ્રી ઊભા હતા, મને પૂછ્યું : “જમ્યા છો?” મેં કહ્યું : ૧૯૮૨માં તેમનો દેહત્યાગ થયો ત્યાં સુધી “ચા બિસ્કીટ ખાધા છે.” પૂજ્યશ્રી કહે : “જાઓ, જમી આવો, તેમને કોઈ પણ વખત માથામાં વેગ ચાલ્યો સુરત સાથે આવવાનું છે.” મારા આનંદનો પાર ન રહ્યો. નથી, અને મઘ વાપરવું પડ્યું નથી.
૬૭