SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ એક હાર છીતુભાઈને આપો સ્થાપના વખતે હું ત્યાં હતો. મને મનમાં વિકલ્પ થયો કે પ્રભુશ્રીજીના ચિત્રપટ ઉપર ગોપાળભાઈ હાર ચઢાવે, તે જ વખતે પરમકૃપાળુદેવના ચિત્રપટ ઉપર હું ફૂલનો હાર ચઢાવું તો કેવું સુંદર થાય!એટલામાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ શ્રી રાવજીભાઈ દેસાઈને કહ્યું : “લના કરંડિયામાંથી એક હાર છીતુભાઈને આપો.” તે લઈ મેં પરમકૃપાળુદેવના ચિત્રપટને તે જ સમયે સાથે હાર ચઢાવ્યો હતો. ' રામ નામ જેવા ભાવ તેવા પ્રભુ ફળે. સંવત ૨૦૦૯ના આસો મહિનામાં શ્રી દેવશીભાઈ, પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના પગ દબાવતા હતા. તે દરમ્યાન મારું ત્યાં જવું થયું. ત્યારે મને પણ મનમાં એ જ રીતે સેવા કરવાનો ભાવ થયો એટલે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બોલ્યા : “દેવશીભાઈ, છીતુભાઈને પણ કરવા દો.” પછી હું પગ દબાવવા લાગ્યો. મંત્ર “પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞ દેવ” સતત બોલાતો હતો. સાથે પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પણ મંત્ર બોલતા હતા. શ્રી છીતુભાઈ પ૭
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy