________________ આ રીતે ભાવશ્રાવકનાં છ લક્ષણો પૂરાં થયાં. એના શ્રવણ, ચિંતન, મનન અને પરિશીલન દ્વારા ભાવસાધુપણા સુધી પહોંચવા પ્રયત્નશીલ બની રહો - એ જ એક સદા માટેની શુભાભિલાષા. સંભળાવ્યા. દસ મિનિટમાં તો કાળધર્મ પામ્યા. છેલ્લે દવા ન પામ્યા પણ નવકાર પામ્યા. પોતાના દીક્ષાદાતા ગુરુને આ રીતે નિર્ધામણા કરાવી શક્યા. આ બધું ક્યારે શક્ય બને ? ભાવસમાધિની કિંમત સમજાય તો ! ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા બન્યા વિના તેની ચર્ચામાં ન પડવું. જાણકાર બન્યા પછી પણ ગુરુને પૂછ્યા વિના કશું કરવાનું જ નથી. તો જાણકાર બનવા પહેલાં આ બધી ચર્ચા કરવી યોગ્ય નથી. તે જ રીતે નિશ્ચય અને વ્યવહારના જ્ઞાતા અને કુશળ બનવું. આપણને જે ફાવે તેને વ્યવહારનય કહેવો અને આપણને જે ન ફાવે તેને નિશ્ચયનયને નામે ચઢાવવું : એ ઉચિત નથી. વિધિ જેમાં પ્રધાન છે તેવાં જ દેવવંદન, ગુરુવંદન, દાનધર્મ વગેરે અનુષ્ઠાનો કરે. વિધિ મુજબના આચરણમાં પક્ષપાત રાખે અને અવિધિની ઉપેક્ષા ન કરે તે જ નિશ્ચયનયનો અભિપ્રાય છે. કહ્યું છે કે જેમણે બાર અંગનો સાર ખેંચી કાઢ્યો છે તેમ જ જેઓ નિશ્ચયનયનું અવલંબન કરનારા છે તે મુનિઓ પરિણામને જ પરમરહસ્યભૂત, પ્રમાણભૂત માને છે. માટે બુદ્ધિમાન પુરુષોએ નિરંતર પરલોકના હિત માટે ગુરુના યોગે શુદ્ધ ભાવને ધારણ કરવો જોઇએ. તેમ જ સંવિગ્ન, ગીતાર્થ, અશઠ પુરુષોએ જે કાંઇ નિરવદ્ય આચરણ કર્યું હોય અને બીજા ગીતાર્થોએ નિષેધ ન કર્યો હોય તેવા વ્યવહારને માન્ય રાખી આચરવો આ વ્યવહારકુશળતા છે. ઉપલક્ષણથી જીવ તથા પુદ્ગલ : સર્વ પદાર્થમાં કુશળ હોય તે પ્રવચનકુશળ જાણવો. ભાવશ્રાવકનાં છ લક્ષણો - 166 ભાવશ્રાવકનાં છ લક્ષણો : 167