SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સ0 પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તો શું વાંધો ? પુણ્ય બાંધવાની ઇચ્છાવાળાને પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય. મોક્ષસાધક આરાધના કરતી વખતે જે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી હોય. વીશસ્થાનકની આરાધનાથી તીર્થંકરનામકર્મની નિકાચના થાય, પરંતુ આરાધના કરતી વખતે લક્ષ્ય કર્મનિર્જરાનું હોય. કર્મનિર્જરાના લક્ષ્યથી જ પરિણામ વિશુદ્ધ બને છે અને સવિ જીવને શાસનરસી બનાવવાની વિશુદ્ધ ભાવનામાં તીર્થંકરનામકર્મની નિકાચના થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય સુખ આપે છે માટે ઉપાદેય છે - એવું નથી, સુદેવાદિનો યોગ કરાવી આપે છે - એટલા પૂરતું ઉપાદેય છે. સવ ભગવાનના શાસનમાં શાલિભદ્રજી અને પુણિયા શ્રાવક : બેમાં વધારે નિર્જરા કોને ?, શાલિભદ્રજીને. તેમને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો માટે નહિ, એ પુણ્યોદય છોડીને તેમણે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રગટ કર્યો માટે. બાકી પુણ્યનો અનુબંધ બન્નેનો સરખો હતો. તેમને પુણ્યના ઉદયમાં રતિ ન હતી તો પુણિયા શ્રાવકને પાપના ઉદયમાં પણ અરતિ ન હતી. પરંતુ પુણિયા શ્રાવક ચારિત્ર સુધી પહોંચી ન શક્યા. તેમનું સામાયિક ભગવાને વખાણ્યું હતું પરંતુ તેમને ચારિત્રનો પરિણામ ન હતો. તેમને જે મળ્યું હતું તેમાં સંતોષ હતો, અધિકનો લોભ ન હતો. જે છે એ ચલાવવાની વૃત્તિના કારણે અધિકના લોભથી બચી ગયા હતા, પણ જે છે એ છોડવાની તૈયારી ન હોવાથી ચારિત્ર ન પામી શક્યા. જ્યારે શાલિભદ્રજીને જે છે એમાં ઓછું લાગ્યું તો એ પણ નથી જોઈતું આ પરિણામ આવવાથી ચારિત્ર પામી ગયા. આજે તમને પણ જે મળ્યું છે એમાં સંતોષ છે ને ? ‘જે છે એ ચાલશે’ - આ પરિણામ જ તમને સંસારમાંથી નીકળવા દેતો નથી. આપણને પુણ્ય ઓછું લાગ્યા પછી એટલામાં નભાવવા તૈયાર થઈએ છીએ, જ્યારે એમને પુણ્યમાં ખામી લાગી તો છોડી દીધું. જેવું-તેવું પુણ્ય પણ નભાવવાની વૃત્તિ સુખની લાલચને સૂચવે છે. તો હવે કહો, પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાલાયક કે છોડવાલાયક ? જેને પુણ્ય ભોગવવું ન હોય તે પુણ્ય બાંધવા માટે મહેનત શા માટે કરે ? સાધુભગવંત પુણ્યનો ઉદય છોડીને આવ્યા પછી નિર્જરા માટે જ પ્રયત્ન કરે. નિર્જરા માટે ધર્મ કરતાં પુણ્ય બંધાઈ જાય - એ જુદું. સાધુસાધ્વી પુણ્યને ઉપાદેય માને નહિ અને જે પુણ્યોદયને ઉપાદેય માનતા હોય તેની પણ પુણ્ય ઉપરથી નજર ખસેડે. પુણ્યથી મળેલું સુખ સારભૂત ન લાગે અને પાપથી આવનારું દુ:ખ અસારભૂત ન લાગે – એવું કરી આપે તેનું નામ સાધુભગવંત. પુણ્યના ઉદયને ઉપાદેય માને તેને સમ્યકત્વ પણ ન મળે, માગનુસારિતા પણ ન મળે. પુણ્ય વધવાથી સંસારનાં સુખો મળશે, ધર્મ નહિ મળે. ધર્મ તો ક્ષયોપશમ વધવાથી જ પ્રાપ્ત થશે. તેથી પુણ્ય વધારવા માટે મહેનત નથી કરવી, યોપશમ વધારવા માટે મહેનત કરવી છે. દીક્ષા આપણા નસીબમાં નથી - એમ કહીને માંડી વાળવાની જરૂર નથી. ધંધામાં નસીબ ન હોય તોય નસીબ અજમાવીએ ને ? નસીબ અજમાવવા માટે ધંધો કરવો છે, પણ ધર્મ નથી કરવો ને ? જે ધર્મ કરીએ છીએ તે પણ કેવો છે ? આસક્તિ મરે એવો કે આસક્તિ વધે એવો ? ભલે માર્ગાનુસારીપણાનો ધર્મ હોય કે સમ્યકત્વરૂપ ધર્મ હોય, આપણી આસક્તિ મરે અને ભગવાનની આજ્ઞા સચવાય એવો ધર્મ કરવો છે. આ તો લોકમાં જેમ કહેવાય છે કે ‘શિર મુંડાવે તીન ગુન, મીટે સિર કી ખાજ, ખાને કો લ’ મીલે, લોક કહે મહારાજ.' તેમ આપણે પણ સમ્યકત્વમાં ત્રણ ગુણ માની લીધા છે : આ લોકમાં સુખ છોડવું ન પડે, ચારિત્ર લેવું ન પડે અને પરલોકમાં દેવલોક મળે ! બરાબર ને ? સમ્યકત્વની જરૂર તો સુખ ઉપરનો રાગ છોડવા અને દુ:ખ ઉપરનો દ્વેષ કાઢવા માટે છે. સુખ છોડવું પડતું હોય ને દુ:ખ વેઠવું પડતું હોય તો સમ્યત્વને રજા આપવી છે ને ? ચારિત્ર કદાચ ન મળે, પણ સમ્યકત્વ મેળવ્યા વગર રહેવું નથી – એટલું તો ખરું ને ? સમ્યકત્વ મેળવવા માટે સુખનો રાગ છોડવો પડશે અને દુ:ખ પર રાગ કેળવવો પડશે. કંઈક પામીને જવું છે કે જેમ ચાલે છે - એમ ચાલવા દેવું છે ? અત્યાર સુધીમાં પૃથ્વીકાયથી માંડીને વનસ્પતિકાયમાં જીવત્વ સિદ્ધ કરી આપ્યું. ત્રસકાયમાં તો જીવત્વ સિદ્ધ જ છે ને ? ભોગસુખનાં સાધન જેટલાં ઓછાં તેટલી ત્રસકાયની રક્ષા વધારે. પ્રવૃત્તિ ઓછી કરીએ તો ત્રસજીવોને બચાવી શકાય. આજે તો સાધુપણામાં બિનજરૂરી પ્રવૃત્તિઓ એટલી વધી ગઈ છે કે પ્રતિલેખના - પ્રમાર્જના કરવા માટે સમય રહેતો જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે જીવજંતુ ન થાય માટે વારંવાર પ્રતિલેખના કરવી. જ્યારે અમે લગભગ જીવજંતુ થાય ત્યારે પ્રતિલેખના કરવા બેસીએ. જીવનિકાયના સ્વરૂપનું જ્ઞાન તેમની રક્ષા (૮૧)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy