________________
ભક્તવત્સલ ભગવાન
રાત્રે સર્વે મુમુક્ષુભાઈઓ સાથે મને સુવા તેડી ગયા. ત્યાં હું સુતો નહીં પણ વિચાર કરતો હતો કે સાહેબજી પાસે સુવાનું હોય તો ઘણો આનંદ થાય. પણ મારાથી હુકમ વિના કેમ જવાય. એમ વિચારતાં ખેદ કરતો હતો ત્યાં તો એક મુમુક્ષુભાઈ ફાનસ લઈ મને તેડવા આવ્યા કે મણિલાલ ચાલો. તમને સાહેબજી યાદ કરે છે. તમારે સૂવા માટે સાહેબજી પાસે નક્કી કર્યું છે.
રાત્રે આશરે ચાર વાગ્યે હું જાગ્યો ત્યારે સાહેબજી ઢોલીયા પર બેઠા હતા. મેં હાથ જોડી દર્શન કર્યા. “દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ઘર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જેનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ઘર્મનું ભાન નહોતું. સગુરુ મળવાથી તે દેવ અને ઘર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યકત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૮૬) “આ કાળમાં સપુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ થયાં સપુરુષનો માર્ગ, માહાભ્ય અને
વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાઘક જીવો ઓછા હોવાથી જીવને સપુરુષનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સપુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાથુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને
અને કાં તો ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૮૬) “મુમુક્ષજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે,
એ વાર્તા યથાર્થ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૮)
૮૪