________________
અચિંત્ય મહાત્મયવાન એવો આત્મા
-
SOCIOL
શ્રી કીલાભાઈ ગુલાબચંદ જણાવે છે :
સં. ૧૯૫૦ના પર્યુષણ પર્વ શ્રીમદે વડોદરામાં કર્યા હતા. તે વખતે વડોદરામાં ગાયકવાડ સરકારનું ઝવેરાત દેખાડવા માટે શેઠ ફકીરભાઈ કૃપાળુદેવને રાજ દરબારમાં લઈ ગયા. તે સરકારના ઝવેરી હતા. ત્યાં કરોડો રૂપિયાનું ઝવેરાત હતું. તેમાં એક નવ લાખનો હીરો હતો. તે કૃપાળુદેવને ફકીરભાઈએ બતાવ્યો. કૃપાળુદેવ તેને જોઈ બોલ્યા કે અચિંત્ય જેનું માહાભ્ય છે એવા આત્માનો ચમત્કાર જીવને ભાસતો નથી અને આવા ચોખ્ખા પથરાનું જીવને માહાસ્ય લાગે છે.
“ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૬) “જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાઘારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે.
જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજાં કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે
જીવો તેનું અદ્ભુત માહાભ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાઘન તેને વિષે કંઈ આગ્રહ-રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૮૦)
૭૭