SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ છ પદના પત્રનો ઉદભવ વિ.સં. ૧૯૫૦માં શ્રી લલ્લુજી મુનિને સુરતમાં દસ બાર મહિનાથી તાવ આવતો હતો. જેથી ચિંતા થઈ કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુદેવને ઉપરા ઉપરી પત્ર લખી જણાવ્યું કે “હે નાથ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમતિ વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે. માટે કૃપા કરીને હવે મને સમકિત આપો.” શ્રી લલ્લુજી મુનિના પત્રના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને છ પદ'નો ૫ત્ર લખી મોકલ્યો; અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી. “સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવાં ઘટે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૨) “છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બઘાય સારા છે; પણ આ તો લબ્ધિવાક્ય જેવો છે! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય! ગમે તે અડચણ, વિઘ્ન આવે, તે હડસેલી મૂકવું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સમકિતનું કારણ છે.” (ઉ.પૃ.૨૭૬) છે CaCl ના પાડતા પણ છે. c) છ પદનપત્ર જ્યારે શ્રીમદ્ સુરત પઘાર્યા ત્યારે તે છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજી મુનિને સમજાવ્યો, અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી. જીવની યોગ્યતા હોય તો સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે. ૭૬
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy