________________
આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે
શ્રીમદ્જીના સમાગમ અર્થે શ્રી લલ્લુજી મુનિએ મુંબઈમાં ચોમાસું કર્યું. શ્રી લલ્લુજી મુનિ પેઢી ઉપર સમાગમ અર્થે આવતા કે શ્રીમદ્ ઊઠીને પાસેની ઓરડીમાં આવી તેમને ‘સમાધિશતક' વગેરે સમજાવતા. “સમાધિશતક' ની સત્તર ગાથા સમજાવીને તે પુસ્તક વાંચવા વિચારવા માટે મુનિશ્રીને આપ્યું.
તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા કે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે પાછા બોલાવ્યા.
૧૧ નાવા જા થતાં ઋલ લટે કેમ છતાને રે.
પાછા બોલાવી તે “સમાધિશતક' ના પહેલા પાના ઉપર નીચેની આ અપૂર્વ લીટી લખી આપી :
આતમ ભાવના ભાવતાં
જીવ લહે કેવળજ્ઞાન રે."
“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય
થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૦૪)
તુ જ પ પછી પણ
૭૪