SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત અને બ્રહાચર્ય દૃઢતાની માગણી “શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે?” સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્ય દ્રઢતાની મારી માગણી છે.” શ્રીમદ્ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગનો અંગૂઠો તાણી શ્રીમદે તપાસી જોય; અને ઊઠીને બઘા નીચે ગયા.” (જી.પૃ.૧૫૭) “એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમ કહ્યું : “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ (એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું. અને કાયોત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.” શ્રીમદે કહ્યું : લોકદ્રષ્ટિએ કરવું નહીં; લોકદેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય, તેમ જ ઊણોદરી તપ (પેટ ઊણું રહે તેવું, ખૂબ ઘરાઈને ખાવું નહી) થાય તેમ આહાર કરવો; સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” (જી.પૃ.૧૫૯) “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૨) પ્રભુશ્રી' ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું: “આ પુરુષ (શ્રી લલ્લુજી મુનિ) સંસ્કારી છે. આ રેખા લક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘમેં આત્મજ્ઞાની મુનિ થાય.” (જી.પૃ.૧૫૭) “બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદ્ભા સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપો છો?” સ્વામીજીએ કહ્યું: “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” (જી.પૃ.૧૫૭, ૧૫૮) શ્રીમદે ફરી પૂછ્યું: “તમે અમને શાથી ઓળખ્યા?” સ્વામીજીએ કહ્યું : “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંઘી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” (જી.પૃ.૧૫૮), સ્વામીજીએ ફરી પૂછ્યું : “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રીમદે કહ્યું : “આત્મા છે એમ જોયા કરો.” (જી.પૃ.૧૫૯) ૭૩
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy