SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુરાજસ્વામીનું પરમકૃપાળુદેવ સાથે પ્રથમ મિલન વિ.સં.૧૯૪૬માં શ્રીમદ્ ખંભાતમાં પ્રથમ પઘારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પોતાના પિતા લાલચંદભાઈની સાથે શ્રીમ અપાસરે તેડી ગયા. શ્રીમદે અવઘાન કરવાં છોડી દીધાં હતાં પરંતુ લાલચંદભાઈ તેમ જ શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવઘાન કરી બતાવ્યાં. સર્વ સાઘુવર્ગ વગેરે શ્રીમદ્ ની વિદ્વતા અને અદ્ભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા.” (જી.પૃ.૧૫૫) પ્રથમ મિલને સાષ્ટાંગ દંડવત્ શ્રીમદ્દ શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતિ કરી અને શ્રી હરખચંદજી મહારાજને પુછ્યું : “હું તેમની પાસેથી કંઈ અવઘારું?” શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજીએ ઉપર જઈને શ્રીમન્ને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણી અટક્યા વગર નમસ્કાર કર્યા.” (જી.પૃ.૧૫૬) હાલ મોટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠનો દિવસ ગણાવા યોગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આવ્યો.” (જી.પૃ.૧૫૭) “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૩) ૭૨
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy