________________
ઉપાશ્રયમાં સ્વાધ્યાય
ખંભાતના આ સ્થાનકવાસી ઉપાશ્રયમાં પરમકૃપાળુદેવનું
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને થયેલ પ્રથમ મિલન.
ઉપર જણાવેલ ઉપાશ્રયના નીચલા ખંડમાં એક બાજુના ખૂણામાં શ્રી લલ્લુજી મુનિ અને શાસ્ત્રાભ્યાસી શ્રી દામોદરભાઈ ‘ભગવતી સૂત્ર” ના ઉપરના ખંડમાંથી આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ પાનાં વાંચીને મોકલે તે વાંચતા હતા.
તે જ ઉપાશ્રયના સામેના બીજા ખૂણામાં શ્રી અંબાલાલભાઈ, શ્રી ત્રિભોવનભાઈ અને શ્રી છોટાભાઈ શ્રીમદ્ભા પત્રો વાંચતા હતા ત્યારે શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે કાં તો ઉપર વ્યાખ્યાનમાં જાઓ કાં અહીં આવીને બેસો.
૭૦