________________
આપના સિવાય બીજું રટણ ન હો
શ્રી સોભાગભાઈને શ્રીમદ્ભી જ્ઞાનશક્તિ પ્રત્યે ભક્તિભાવ પ્રગટ્યો અને ત્રણ નમસ્કાર કર્યા. તે વખતે શ્રીમદ્ પણ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા.
છેલ્લી વખતે સાયલેથી શ્રીમને વળાવવા જતાં રસ્તામાં નદી આવી ત્યાં શ્રી સોભાગભાઈએ શ્રીમને જણાવ્યું કે “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો!” “રાગ કરવો નહીં, કરવો તો સત્વરુષ પર કરવો; ધેષ કરવો નહીં કરવો તો કુશીલ પર કરવો.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૬)