SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પાના ફેરવવા માત્રથી રહસ્યની જાણ ! ! એક વખત શેઠ શ્રી દલપતભાઈનો પુસ્તક ભંડાર જોવા શ્રીમદ્ શ્રી જૂઠાભાઈ સાથે I TTI પઘારેલા. તે વિષે શ્રી જૂઠાભાઈએ શેઠ શ્રી જેસંગભાઈને જણાવ્યું કે શ્રીમદ્ પુસ્તકોના પાના માત્ર ફેરવી જતાં, અને તે પુસ્તકોનું રહસ્ય સમજી લેતા હતા. ત્યારબાદ શ્રી જૂઠા-ભાઈનો ઘર્મ નિમિત્તે શ્રીમદ્ સાથેનો પત્ર વ્યવહાર વધ્યો. તે સમયમાં શ્રી જૂઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ રહેતી હતી. પણ શ્રીમદ્ભા વચનોથી તેમની વૈરાગ્યવૃત્તિ ઘણી વૃદ્ધિ પામી હતી. “એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪૬) કોણ પ્રતિબંઘ કરે? એકવાર ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી છોટાભાઈ વગેરે લગ્ન નિમિત્તે અમદાવાદ આવેલા. સરખી ઉંમરના હોવાથી તેમણે શ્રી જૂઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા માટે જણાવ્યું. ત્યારે વૈરાગ્યવંત શ્રી જૂઠાભાઈ બોલી ઊઠ્યા કે ક્યાં પ્રતિબંધ કરું?” તે સાંભળી તેમને વિશેષ જાણવાની આતુરતા થવાથી શ્રી જૂઠાભાઈએ શ્રીમદ્ભા ગુણગ્રામ કર્યા અને તેમના આવેલા પત્રો વંચાવ્યા. જેથી શ્રી અંબાલાલભાઈ વગેરેને પણ ઘર્મની લગની લાગી ગઈ. “સર્વ પ્રતિબંઘથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૭૫) ૬૫
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy