________________
ન્યાયાધીશ દારશીભાઈની શ્રીમદ્ પ્રત્યે શ્રદ્ધાની પરીક્ષા
શ્રી ઘારશીભાઈ જણાવે છે :
મોરબીમાં એક દિવસ બપોરની વેળાએ ભર ઉનાળામાં શ્રીમદ્ સાથે ઘર્મકથા કરતો હું દીવાનખાનામાં બેઠો હતો. ત્યાં શ્રીમદે જણાવ્યું ઘારશીભાઈ ફરવા જશું? મેં કહ્યું–જેવી આપની ઇચ્છા. ખરો બપોર હોવાથી મેં હાથમાં છત્રી લીધી. મોરબીની એક સીધી લાંબી બજારમાં આવતાં શ્રીમદે જણાવ્યું - ઘારશીભાઈ છત્રી ઉઘાડો. મેં તરત જ છત્રી ઉઘાડી અને લોકલાજની દરકાર
તેઓશ્રીના મસ્તક પર ઘરી રાખી. લાંબી ભર બજારમાંથી ઘર્મ વાર્તા કરતા જ્યારે ગામ બહાર નીકળ્યા કે શ્રીમદે જણાવ્યું - ઘારશીભાઈ છત્રી બંધ કરો. મેં કહ્યું – સાહેબ! ગામ બહાર તો વધારે તાપ લાગે, ભલે ઉઘાડી રહી.
ત્યારે શ્રીમદે બોધ આપ્યો કે “કષાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ. આખો લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. જ્ઞાનીઓ એ સંસાર તાપથી મુક્ત થયા છે, અને જગતના જીવોને ત્રિવિધ તાપથી મુક્ત કરવા કરુણાથી ઉ
મક્ત કરવા કરુણાથી ઉપદેશ આપે છે.” “કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૩૩)
૬૧