SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ભો અતિશય મુંબઈમાં શ્રીમદ્ભા બનેવી ટોકરશીભાઈ ગાંઠ અને સન્નિપાતના દર્દને લઈને બકવાદ કરતા અને ઊઠીને નાસભાગ કરતા, તેથી ચાર જણ તેમને ઝાલી રાખતા હતા. શ્રીમદ્ તેમની ખબર પૂછવા આવ્યા ત્યારે બઘાને કહ્યું કે તમે દૂર ખસી જાઓ. તેઓએ કહ્યું કે એ નાસભાગ કરશે. શ્રીમદે કહ્યું નહીં લાગે. પછી શ્રીમદ્ તેમની પાસે બેઠા કે પાંચ મિનિટમાં ટોકરશીભાઈ સાવઘાન થઈને શ્રીમદ્ભ વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે આપ ક્યારે પઘાર્યા? શ્રીમદ્ કહે હમણાં જ. તમને કેમ છે? એટલે ટોકરશીભાઈ બોલ્યા ઠીક છે, પણ ગાંઠની પીડા છે. અર્થો કલાક ટોકરશીભાઈ શાંત બેસી રહ્યા પછી શ્રીમદ્ વિકટોરિયા ગાડીમાં બેસી પોતાની દુકાને પઘાર્યા. શ્રીમદ્ ગયા કે પાંચ મિનિટ પછી પાછા ટોકરશીભાઈ સન્નિપાત વશ જણાયા. સાંજના સાત વાગ્યે ફરીથી શ્રીમદ્ પઘાર્યા. તેથી અમે બઘા દૂર હઠીને ભીંત પાસે ઊભા રહ્યાં. શ્રીમદે ટોકરશીભાઈ પાસે બેસી કાંઈક આંખના, હાથના અને હોઠના ઈશારા કર્યા. જેથી પાંચેક મિનિટમાં ટોકરશીભાઈ શુદ્ધિમાં આવીને શ્રીમને બોલાવ્યા ત્યારે શ્રીમદે પૂછ્યું કેમ છે? ટોકરશીભાઈએ કીધું કે “ઠીક છે.” ૫૪
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy