SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરુષના વચન પ્રત્યે અખંડ વિશ્વાસ ' ક શ્રી જવલબેન ભગવાનદાસ મોદી જણાવે છે : એકવાર પરમકૃપાળુદેવ, તેમના બનેવી શ્રી ટોકરશી મહેતા અને પુત્ર શ્રી છગનભાઈને ઈડરના પહાડ ઉપર સાથે લઈ ગયા હતા. ત્યાં એક શીલા પર બન્નેને બેસાડી કહ્યું કે હું સામી ગુફામાં જઉં છું, એક કલાક પછી આવીશ. તમે અહીં બેસી રહેજો. આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે, પણ તમો ગભરાશો નહીં, એમ કહી હાથવડે લક્ષ્મણરેખા તેઓ બન્નેના ફરતી કરી ચાલ્યા ગયા. પછી થોડી વારે વાઘને જતો જોયો પણ પરમગુરુના પ્રતાપે ભય પામ્યા વિના તેઓ બેસી રહ્યાં, વાઘ શાંતિથી પાણી પીને ચાલ્યો ગયો હતો. “સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.” -પ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૪) પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્યભવ પામી એક સપુરુષને શોધી તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. (ઉ.પૃ.૩૫૧) “જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ થાય છે, કારણ, સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે.” (ઉ.પૃ.૩૫૮) ૫૩
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy