________________
શ્રીમદ્દો શ્રી રામ જેવો વૈરાગ્ય
મોક્ષમાળાના રચનાકાળ સમયે શ્રીમદ્નો વૈરાગ્ય શ્રી રામ જેવો હતો. શ્રી ૨ામ તીર્થયાત્રા કરી આવ્યા પછી રાજમહેલમાં રહેતા છતાં તેમને આત્મચિંતન પ્રિય હતું.
વડવામાં શ્રીમદે એકવાર શ્રી લલ્લુજી મુનિને જણાવેલ કે ‘નાની ઉંમરે અમે મોક્ષમાળા રચી તે વખતે શ્રી રામનો ‘યોગવાસિષ્ઠ’ રામાયણના ‘વૈરાગ્ય’ પ્રકરણમાં વર્ણવેલ વૈરાગ્ય જેવો વૈરાગ્ય હતો. તે અરસામાં જૈન આગમ માત્ર સવા વર્ષમાં અમે અવલોકી લીધાં હતા. તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો કે અમે આહાર કર્યો છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં.’
વીતરાગધર્મ પૂર્ણ સત્ય
તેરમા વર્ષથી શ્રીમદ્ન કયો ધર્મ સત્ય હશે એવો ધર્મમંથન કાળ શરૂ થયો. એકાદ વર્ષમાં મુખ્ય મુખ્ય ધર્મ તપાસી લઈ સર્વજ્ઞ પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે એવા નિર્ણય પર આવ્યા.
“સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
મોરબીમાં શ્રી પોપટભાઈ દફતરીનું ઘર તેમનું વાચનાલય અને લેખનાલય બન્યું હતું. પોપટભાઈ શ્રીમદ્ પાસે શાસ્ત્રાર્થ સાંભળી તેમને બાળ સંત માનતા અને મોરબીમાંથી કે અમદાવાદ વગેરે સ્થળોથી પુસ્તકો મેળવી આપવામાં શ્રીમદ્ગુ
સહાય કરતા હતા.
પૂર્વભવોમાં આરાઘેલા મહાપુરુષોના ઉપદેશામૃતના સંચયરૂપ તેમજ અનેક વિષયના ગ્રંથ વાંચનના સારરૂપ ‘મોક્ષમાળા’ નામના ગ્રંથની રચના શ્રીમદે ભવ્ય જીવોના હિત માટે કરી.
૨૬
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે.’
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૬૩)
TO
“જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. જ્ઞાનીના વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૬૨)