________________
પુણ્ય પ્રમાણે બધું સુઘરશે
શ્રીમદ્દ જ્યારે નાના હતા ત્યારે વવાણિયામાં પોતાના ઘરે એકલા જ બેસી વાંચન કરતા. એક વખતે પિતાશ્રી રવજીભાઈએ શ્રીમદ્દે જણાવ્યું કે ભાઈ, આપણી વ્યવહારિક સ્થિતિનું ભવિષ્ય કેવું? શ્રીમદ્ કહે : વર્તમાન કરતાં ઉજ્જવલ છે. પુણ્ય પ્રમાણે બધું
સુધરશે.
“પાપના ઉદયથી હાથમાં આવેલું ઘન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિથિરત્ન પ્રગટ થાય છે.
સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૧૯)
૨૫