________________
બાળવયે વિદ્વાનોની શંકાઓનું સમાધાન
શ્રીમદ્ બાળપણથી જ ગામ આખામાં ઘણા જ હોશિયાર, તીવ્ર બુદ્ધિશાળી અને ડાહ્યા ગણાતા હતા. તેમના પ્રત્યે સઘળા લોકોને સહેજે ઘણો જ પ્રેમ આવતો. બાળપણથી જ તેઓ મહાશાંત હતા. લઘુવયમાં પણ તેમનું નામ સાંભળી ઘણા ઘણા વિદ્વાન પુરુષો શંકાઓનું સમાધાન કરવા, પ્રશ્નોત્તર કરવા, વિકતા જોવા તેમજ વાદ વિવાદ કરવા માટે તેમની પાસે આવતા હતા; અને પોતાના મનનું સમાધાન થઈ જવાથી શાંતિ પામી તેમને પ્રણામ કરતા હતા.
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૧૧) - “દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુઘીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે
એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંઘાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા
ભવ ભ્રમણ કરવા પડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૯૭૪)
૨૪