________________
શ્રીમદ્દે ગુરુપદે માન્ય
N
શ્રીમદે ઘરમાં પ્રવેશ કર્યો તેવા જ મેં તેમને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા અને ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. પછી વિનંતી કરી ‘ગાંગેય અણગાર’ના ભાંગાનું રહસ્ય તેમની પાસે બે કલાક સુધી અપૂર્વ અમૃતવાણીમાં સાંભળી રોમાંચ ઉલ્લસ્યા. ત્યારથી શ્રીમદ્ન મારા તરણતારણ ગુરુ સ્થાને માનવા લાગ્યો.
“સત્પુરુષ તો, જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ઘરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઇચ્છા નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૭૧૧)
“જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬)
“ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૫) “સદ્ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે, તે નહીં. તે છે તે જ, બીજો નહીં... કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો.” (ઉ.પૃ. ૧૬૮, ૨૬૯) “અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઈએ છીએ...ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે.” (ઉ.પૃ.૨૯૬)
૨૩