________________
ભુજમાં ઘર્મસંબંધી ભાષણ
IIIIIII
TET 3
કચ્છ દેશના દીવાન શ્રી મણિભાઈ જશભાઈ ગુજરાતમાંથી કચ્છમાં જતા આવતા વવાણિયા મુકામે કચ્છના ઉતારામાં ઊતરતા. તે વખતે શ્રીમદુ સાથે તેમની ઘર્મચર્ચા થતી. શ્રીમદૂની બુદ્ધિથી આકર્ષાઈ હર્ષ પામી તેમને અનેક વાર કચ્છ દેશ તરફ પઘારવા વિનંતિ કરી. એક વાર વિનંતિ સ્વીકારી શ્રીમદ્ કચ્છ-ભુજ તરફ તેમની સાથે પધાર્યા હતા. ત્યાં ઘણા લોકો મધ્યે વીતરાગઘર્મની વ્યાખ્યા કરી ભાષણ આપ્યું. તે સાંભળી કચ્છના લોકો આશ્ચર્યચકિત થઈ કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં આવી ઘર્મસંબંધી વિદ્વતા ઘરાવે છે તો આગળ જતાં તે મહાપ્રતાપી અને મહાયશવાને નીવડશે. “સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બઘાંય જણાયાં છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૫૦)
૧૯