________________
પ્રામાણિક અને પુરુષાર્થી
“તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્યે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં."
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫)
દુકાન ઉપર નવરાશના સમયે શ્રીમદ્ પુસ્તકો વાંચતા તથા રામાયણ અને મહાભારતની કથાઓના આધારે કવિતાઓ
રચતા હતા.
“નકામો વખત જવા દેશો નહી.
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૨)
૨૦
શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી શ્રીમદ્ પિતાશ્રીની દુકાને બેસતા. તેઓ પ્રમાણિક હોવાથી લખે છે :“કોઈને મેં ઓછો અઘિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅઘિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.'' શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૦
“સત્પુરુષ અન્યાય કરે નહીં. સત્પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે? સૂર્ય
કોના
માટે પ્રકાશશે? વાયુ કોના માટે વાશે?”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૭૭)
શ્રીમદ્ના અક્ષર સ્પષ્ટ અને સુંદર હોવાથી કચ્છ દરબારના ઉતારે તેમને લખવા માટે બોલાવતા, અને અંગત લખાણ પણ કરાવતા હતા.