________________
રામાયણ અને મહાભારતની સમજાવટ
શ્રીમદુને રામાયણ અને મહાભારત વાંચવાનો બાળપણથી જ શોખ હતો. તેઓ વજા ભગતની મઢીમાં જઈ રામાયણ અને મહાભારતનો ગ્રંથ વાંચતા અને ભગતને પણ તેનો અર્થ સમજાવતા હતા. તે વખતે આશરે તેમની ઉંમર ૧૧-૧૨ વર્ષની હતી. બાળપણની આવી રુચિ તે પૂર્વ જન્મના સંસ્કાર સૂચવે છે.
“ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૯૩૭)
૧૧