________________
સ્કૂલમાં વિદ્યાર્થીઓનું લેસન લેતાં બાળયોગી શ્રીમદ્
આ
આ
ઇ ઈ
( કલમ
શ્રી દામજીભાઈ જણાવે છે –
શ્રીમદ્ જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે બધા સાઠેય વિદ્યાર્થીઓનું લેસન પોતે જ લેતા. શિક્ષક તો બેસી જ રહેતા. વિદ્યાર્થીઓ માસ્તરને એમ કહેતા કે રાયચંદભાઈ અમોને પાઠ આપે તો તે જલ્દી યાદ રહી જાય છે. કપાળુદેવ વિદ્યાર્થીઓને પાઠ ન આવડે તો કદી મારતા નહીં.
એક વિદ્યાર્થી જે કૃપાળુદેવ સાથે ભણતાં હતા તેણે લખ્યું છે કે એક વખત ઘરેથી હું પાઠ કર્યા વિના નિશાળે ગયો. મને કાંઈ આવડ્યું નહીં. ત્યારે રાયચંદભાઈએ મને ઊભો કર્યો અને ઘણી જ નરમાશથી મારી કાનપટ્ટી પકડી. તેમનો હાથ એટલો બઘો મુલાયમ અને કોમળ લાગ્યો કે જે મને ગમ્યો. મને દુઃખ ન થયું પણ જાણે હજુ કાન પકડી રાખે તો સારું એમ થયું. એવી રીતે જેને રોમેરોમ દયા વસી હતી તે મને હજુ સાંભરે છે.
“જ્ઞાન એનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય, અર્થાત્ હર્ષ શોક થાય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૧૮૭)
૧૦