________________
મૃત્યુ-રહસ્ય જાણવાની તીવ્ર જિજ્ઞાસા
ATE
s
શ્રી અમીચંદભાઈ ગુજરી ગયાની વાત સાંભળી શ્રીમદ્ ઘેર આવ્યા અને દાદાને પૂછ્યું : દાદા ! ગુજરી જવું એટલે શું?
દાદાએ કહ્યું : તેમાંથી જીવ નીકળી ગયો. હવે તે હાલી, ચાલી કે બોલી શકે નહીં; કે ખાવું, પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી આવશે.
શ્રીમદ્ જ્યારે સાત વર્ષની વયના હતા ત્યારે તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના બની ગઈ. વવાણિયામાં એક અમીચંદભાઈ નામના સગૃહસ્થ રહેતા હતા. તેમને શ્રીમદ્ પ્રત્યે ઘણું વહાલ હતું.
८
એક દિવસે અકસ્માત સાપ કરડવાથી તેઓ તત્કાળ ગુજરી ગયા.
સ્મશાનમાં બાળવાની વાત સાંભળી વિચારમાં પડી જઈ થોડીવાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે શ્રીમદ્ તળાવે ગયા. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.’
99
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૪)