________________
સ્કૂલમાં પ્રથમ દિને બાળયોગી શ્રીમનું પુસ્તક વાંચન
૧૨૩૪ કખગઘચ
શ્રીમન્ને સાત વર્ષની વયે ભણવા માટે સ્કૂલમાં બેસાર્યા. આંક એકથી દસ સુધી અને જેમ જેમ આગળ બારખડી માસ્તર બતાવતા ગયા તેમ તેમ શ્રીમદ્ જણાવતા કે આ તો મને આવડે છે. પછી ચોપડીમાંથી પાઠ વાંચવા જણાવ્યું તો તે પણ થોભ્યા વિના વાંચી ગયા. ચોપડી મૂકી દીધા બાદ અનુક્રમે જેટલા પાઠ શ્રીમદ્ વાંચી ગયા તે સઘળા પાઠ એક પણ ભૂલ વિના મુખપાઠે બોલી સંભળાવ્યા. આ હકીકતથી માસ્તરને ઘણું આશ્ચર્ય ઊપજ્યું કે આજથી આ વિદ્યાર્થી ભણવા માટે આવેલ છે અને આમ કેમ? આ કોઈ દૈવી પુરુષ હોય એમ જણાય છે.
પૂર્વ જન્મના અભ્યાસે એવી અસાધારણ બુદ્ધિ શ્રીમદ્ સહજ ધરાવતા હતા.
t
‘ અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે.’” - શ્રીમદ્ રાજચંદ્ર(વ. પૃ. ૩૭૪)
9