________________
અલ્પવયમાં મહદ્ વિચારો
શ્રીમદુને અલ્પવયમાં ક્યારેક રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની જિજ્ઞાસા થતી. ત્યારે મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચારો તેમણે કર્યા હતા. પણ વિચાર વડે - “ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં
તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ-” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૭૯૨)
GOOOR
/
/
જ્યારે નિસ્પૃહી મહાત્માના દર્શન થતાં ત્યારે નિઃસ્પૃહી મહાત્માએ કરેલા સર્વસંગપરિત્યાગી થવાના નિઃસ્પૃહ વિચારો પણ શ્રીમદે કર્યા હતા. જેના પરિણામે તેમની આત્મદશા દિનોદિન નિર્મળ થવા લાગી. “શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત્વ નિરૂપણ કર્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૮૯)