________________
પ્રભુ દર્શન તથા સંત સમાગમ પ્રિય
શ્રીમદ્ભા દાદા શ્રી પંચાણભાઈ શ્રીકૃષ્ણના ભક્ત હતા. તેમની સાથે તેઓ નિત્ય શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જતા. શ્રીમદ્ભા માતુશ્રી જૈનસંસ્કાર લાવ્યા હતાં. બાળયોગી શ્રીમદ્ભાં વૈષ્ણવ તથા જૈનઘર્મ બન્ને સંસ્કારોનું સિંચન થયું.
“દેવ કોણ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ? વીતરાગતા સૂચવે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૧૭૧)
વખતો વખત શ્રીમદુ ઘર્મકથા શ્રવણ કરતા. વારંવાર અવતારો સંબંઘી ચમત્કારમાં મોહ પામતા અને તેને પરમાત્મા માનતા. પરમાત્માને રહેવાનું સ્થળ જોવાની તેમની પરમ જિજ્ઞાસા હતી.
તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે ? એવી તેમને વિશેષ કલ્પના થયા કરતી. “જેના અંતઃકરણમાં ત્યાગવેરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૨૮)